
પણે હિન્દીભાષી હોવાથી કહીએ કે હિન્દી વિશ્વની સૌથી મહાન ભાષા છે તો બની શકે કે આ સાચું હોય પણ હિન્દુસ્તાનમાં બધા હિન્દી જ બોલશે, એ કહેવું થોડુંક કટ્ટર ગણાશે. જેમ કે વિશ્વની તમામ માતાઓ મહાન છે, એવી જ રીતે દરેક ભાષા સર્વશ્રેષ્ઠ છે, સંપૂર્ણ છે. હ્યુસ્ટનમાં આયોજિત હાઉડી મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ આખરે દસ ભાષાઓમાં કેમ કહ્યું - ભારતમાં બધું બરાબર છે. ‘એક’ ના હિમાયતી મોદી(વન નેશન- વન ટેક્સ, વન નેશન- વન ઈલેક્શન)ને આખરે દસ ભાષાઓની કેમ જરૂર પડી ગઇ? આ એટલા માટે કે જેથી વન નેશન, વન લેંગ્વેજની એ ચર્ચાને રોકી શકાય, જે આ વર્ષે હિન્દી દિવસથી ફરી શરૂ થઈ હતી. ગૃહમંત્રી અમિત શાહની એક ટ્વિટની સાથે જ હેશટેગ વન નેશન-વન લેંગ્વેજ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. જોકે આ ડિબેટ આજની નથી. નેહરુના જમાનાની છે. મોતીલાલ નેહરુના સમયની. 1928માં મોતીલાલે જ્યારે હિન્દીને સરકારી કામકાજની ભાષા બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો ત્યારે દક્ષિણ રાજ્યોમાં હિન્દી વિરુદ્ધ અવાજ ઊઠ્યો હતો. હિન્દી વિરુદ્ધ તમિલ આંદોલનનો પણ લાંબો ઇતિહાસ રહ્યો છે. આઝાદી પછી શરૂઆતના દાયકામાં દેશને જે મુદ્દાએ સૌથી વધુ હેરાન કર્યો, તે ભાષાનો મુદ્દો હતો. જ્યારે દેશમાં હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની તૈયારી થઈ રહી હતી તે સમયે તામિલનાડુના પહેલા મુખ્યમંત્રી અન્નાદુરઈ મોર અને કાગડાની દલીલ તમિલ ભાષીઓ સામે રજૂ કરી રહ્યાં હતાં. હિન્દી બોલનારાના સંખ્યાબળના જવાબમાં તે કહેતા હતા કે મોરની તુલનાએ કાગડા વધારે છે તો શું કાગડાને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરી શકાય છે? 26 જાન્યુઆરી, 1965નો દિવસ, જ્યારે હિન્દી દેશની રાષ્ટ્રભાષા બની. ત્યારે દક્ષિણ રાજ્યોમાં માતમની સ્થિતિ જોવા મળી. તામિલનાડુમાં તો વિદ્યાર્થીઓએ આત્મદાહ કરી લીધો હતો. ગણતંત્ર દિવસે દેશે આવું અગાઉ ક્યારેય જોયું નહોતું. ભાષાનો વિરોધ તો આજે પણ છે પણ કદાચ આ પક્ષો સુધી મર્યાદિત છે. ડીએમકે જેવી પાર્ટીનો ઉદય આવા જ ભાષાને લગતા આંદોલનથી થયેલો છે. તમામ વિરોધથી હટીને આજે સામાન્ય તમિલ હિન્દી તરફ આગળ વધી રહ્યાં છે. 1918માં બનાવેલ દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભાના આંકડાને જોશો તો આ તફાવત અનુભવી શકશો. 2009માં જ્યાં 2.18 લાખ વિદ્યાર્થીઓએ તેના માધ્યમથી હિન્દીનો અભ્યાસ કર્યો હતો, 2018માં આ આંકડો 5.70 લાખ થઇ ચૂક્યો છે. અહીં પડકાર ભાષાનો નથી. અવસરનો છે. હિન્દી બોલનારા જો અંગ્રેજી શીખી રહ્યાં છે તો ફક્ત વધારે અવસર માટે. આ જ તર્ક દક્ષિણમાં પણ લાગુ થાય છે અને તેનાથી અલગ જો આપણે ફક્ત હિન્દીના વિકાસની વાત કરીએ તો આપણે સરકારી ઓફિસોના ઘસાયેલા પાનાંઓ પર લખેલી હિન્દીને વાંચી જવી જોઇએ. એ હિન્દી આજે પણ એ જ છે જ્યાંથી શરૂ થઇ હતી. જો આપણે પોતાની સરકારોના લખેલા ફરમાન, કોર્ટના નિર્ણયોને હિન્દીમાં વાંચી શકતા નથી તો ફરી વિચારવાનો સમય છે. શું ખરેખર હિન્દી બચી છે? અંગ્રેજીના ભાર નીચે દટાઈ તો નથી ને?
અને અંતે.. ભાષાઓ સંવાદનું માધ્યમ બની શકે છે પણ દેશ તો દિલના એક થવાથી બને છે. ભાષાઓ ભલે અનેક હોય. જરૂર તો વન નેશન, વન હાર્ટની છે. આપણે હિન્દી બની રહીશું પણ દેશને પ્રાથમિકતા આપવી પડશે.
સુર્ખિયો સે આગે
ससઆ
નિમેશ શર્મા, એડિટોરિયલ હેડ, નેશનલ આઈડિયેશન ન્યૂઝ રૂમ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2nYFxkS
via
IFTTT
No comments:
Post a Comment