દિપડાએ બાળકને ફાડી ખાધાની આ ઘટના અમરેલી નજીક આવેલ ચાંપાથળ ગામની સીમમા બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી આવેલ સુરેશભાઇ મનુભાઇ નાકરાણીની વાડીમા રહી પારસીંગભાઇ માલાભાઇ કટારા નામનો આદિવાસી પરિવાર મજુરીકામ કરતો હોય તેમનો છ વર્ષનો પુત્ર ચિરાગ પારસીંગભાઇ કટારા તેમજ અન્ય બે ત્રણ બાળકો વાડીએ ખુલ્લામા રમતા હતા. સવારના દસેક વાગ્યાના સુમારે અહી અચાનક એક દિપડો ધસી આવ્યો હતો અને જોતજોતામા ચિરાગને ઉઠાવી જઇ થોડે દુર ફાડી ખાધો હતો. બાદમા પરિવારના સભ્યો અહી દોડી ગયા હતા. જો કે ત્યાં દિપડાએ તેને ગંભીર ઇજા પહોંચાડી દીધી હોય તેનુ મોત નિપજયું હતુ. ચિરાગની લાશને પોસ્ટમોર્ટ માટે અમરેલી સિવીલ હોસ્પિટલ ખસેડવામા આવી હતી. ઘટના અંગે વનવિભાગને જાણ કરવામા આવતા અહી ટીમ દોડી ગઇ હતી અને માનવભક્ષી દિપડાને પાંજરે પુરવા કાર્યવાહી હાથ ધરી હોવાનુ જાણવા મળી રહ્યું છે.
દીપડાના હુમલાની ઘટનાઓ વધી
ગીરકાંઠાના ગામોમા અવારનવાર દિપડાઓ આવી ચડે છે અને માણસ પરના હુમલાની ઘટનાઓ વધી પડી રહી છે. ચાંદગઢ આસપાસ સિંહ, દિપડા અવારનવાર વાડી ખેતરોમા આવી ચડતા હોય હાલ આ માનવભક્ષી દિપડાને તાકિદે પાંજરે પુરવામા આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ntS6Ex
via IFTTT
No comments:
Post a Comment