ગુહ્યેશ્વરી શક્તિપીઠ આશરે 2500 વર્ષ જૂનુ છે. ગુહ્યેશ્વરી ગુહ્યા (સિક્રેટ) અને ઈશ્વરી (દેવી) એ બે શબ્દો ભેગા કરીને બનેલો શબ્દ છે. તે કાઠમંડુમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાંની એક છે. માન્યતા છે કે, અહીં દેવી સતીના શરીરમાંથી સંધિસ્થળ (શૌચઅંગ) પડ્યા હતા. ત્યાર પછી આશરે એકાદ સદી પહેલા આ મંદિરનું નિર્માણ શરૂ થયું. કાંતિપુરના નવમા રાજાએ પેગોડા શૈલીમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ વખતે પણ નવરાત્રિમાં અહીં મેળો છે, જેમાં ભારત, ભૂતાન સહિત અનેક દેશના શ્રદ્ધાળુ આવે છે. આ વખતે નવરાત્રિ સાથે 10 દિવસીય દશૈન ઉત્સવ ણ મનાવાઈ રહ્યો છે. શક્તિપીઠના સ્વયંસેવકોનું એક જૂથ મેળા અને દર્શનની વ્યવસ્થા સંભાળે છે. આ વખતે સફાઈ અને દર્શન વ્યવસ્થા પહેલાથી કરાઈ છે. પશુપતિનાથ મંદિરથી શક્તિપીઠ આવનારા શ્રદ્ધાળુઓની મદદ માટે મંદિર સમિતિ સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓની મદદ માટે મંદિર સમિતિના સ્વયંસેવકોની એક ટીમ સતત કાર્યરત છે. મહાઅષ્ટમીની તૈયારી પણ આ ક્રમમાં જ ચાલી રહી છે. આંકડાકીય માહિતી પ્રમાણે, દર વર્ષે ભારતમાંથી છ લાખ શ્રદ્ધાળુ પશુપતિનાથ આવે છે અને તેમાંથી મોટા ભાગના શક્તિપીઠના દર્શન પણ કરે છે. મંદિરના મુખ્ય કર્મચાર્યનું અનુમાન છે કે, આ વખતે બે લાખ શ્રદ્ધાળુ આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2o6CZB5
via IFTTT
No comments:
Post a Comment