છઠ્ઠો દિવસ: હિન્દુ પક્ષે ઐતિહાસિક પુસ્તકો, વિદેશી પ્રવાસીઓના ટ્રાવેલોગ અને વેદ-સ્કંદ પુરાણની દલીલો રજૂ કરી.
આઠમો દિવસ: રામલલા બિરાજમાનના વકીલે અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો ટાંકીને કહ્યું- જજે તેમના ચુકાદામાં લખ્યું છે કે મંદિર તોડીને જ મસ્જિદ બનાવાઇ છે.
નવમો દિવસ: રામલલાના વકીલે કહ્યું- કોઇ પણ માત્ર મસ્જિદ જેવું માળખું ઊભું કરીને તેના પર માલિકીહકનો દાવો ન કરી શકે.
18મો દિવસ: મુસ્લિમ પક્ષકારોએ દાવો કર્યો કે 22-23 ડિસેમ્બર, 1949ની રાત્રે બાબરી મસ્જિદમાં મૂર્તિઓ રાખવા માટે કેટલાક અધિકારીઓની હિન્દુઓ સાથે મિલીભગત હતી. આ કાવતરું હતું.
22મો દિવસ: મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે તેમને ફેસબુક પર ધમકી મળી છે. સીજેઆઇએ કહ્યું- આવા કૃત્ય ન થવા જોઇએ.
26મો દિવસ: સુપ્રીમકોર્ટે કહ્યું કે 18 ઓક્ટોબર સુધીમાં દલીલો પૂર્ણ કરો, જેથી જજોને ચુકાદો લખવા 4 અઠવાડિયાનો સમય મળી રહે.
27મો દિવસ: રાજીવ ધવને મુખ્ય ગુંબદની નીચે ગર્ભગૃહ હોવાના દાવાને ઉપજાવી કાઢેલો ગણાવ્યો. તે અંગે જજોએ તેમને સવાલ કર્યા. તો ધવને જજના ટોનને આક્રમક ગણાવ્યા. જો કે પછીથી તેમણે માફી માંગી લીધી.
30મો દિવસ: મુસ્લિમ પક્ષે કહ્યું કે રામચરિત માનસની રચના મસ્જિદ બન્યાના 70 વર્ષ પછી થઈ પરંતુ ક્યાંય એ ઉલ્લેખ નથી કે રામજન્મ સ્થળ ત્યાં જ છે. જ્યાં મસ્જિદ છે. એટલે જન્મસ્થળ અંગે હિંદુઓની આસ્થા પણ પછીથી બદલાઈ ગઈ.
31મો દિવસ: મુસ્લિમ પક્ષ પોતાના એ નિવેદનથી પાછો ફર્યો જેમાં કહેવાયું હતું કે વિવાદી સ્થળના બહારના ભાગમાં સ્થિત રામચબુતરો જ ભગવાન રામનું જન્મ સ્થળ છે. સાથે જ એએસઆઈના એ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યો જેમાં સંકેત આપ્યો હતો કે આ માળખું બાબરી મસ્જિદ પહેલાનું હતું.
32મો દિવસ: મુસ્લિમ પક્ષકારોએ એએસઆઈના રિપોર્ટ પર એક દિવસ પહેલાં જ અનેક ટિપ્પણીઓ પર યુટર્ન લીધું અને સમય બરબાદ કરવા બદલ માફી માંગી.
38મો દિવસ: મુસ્લિમ પક્ષે આરોપ લગાવ્યો કે હિન્દુ પક્ષ સાથે સવાલ જ કરવામાં આવી રહ્યાં.
39મો દિવસ: સુપ્રીમકોર્ટે બુધવારે (40મો દિવસ) સુનાવણી પૂરી કરવાના સંકેત આપ્યા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MhHqD0
via IFTTT
No comments:
Post a Comment