‘મહા’ની િદશા બદલાઇ : દ્વારકામાં ખતરો ટળ્યો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, November 6, 2019

‘મહા’ની િદશા બદલાઇ : દ્વારકામાં ખતરો ટળ્યો

મહા વાવાઝોડાના સંકટને લઇ દ્વારકા અને જામનગર જિલ્લામાં તંત્ર એલર્ટ થઇ ગયું છે.ત્યારે દ્વારકા સમુદ્ર કિનારે તેમજ બિચ પર યાત્રીકોને જવા પર પ્રતિબંધ પણ મુક્યો હતો.મહા વાવાઝોડુ તા.6 થી 7 દરમિયાન દ્વારકા ટકરાઇ શકે તેવી આગાહી વ્યક્ત કરાઇ હતી.પરંતુ હાલ મહા વાવાઝોડાએ દરિયામાં દિશા બદલતા હાલાર પરથી ખતરો ટળ્યો છે.દિવથી દક્ષિણ દિશામાં વાવાઝોડુ દરિયામાં ફંટાઇ જશે.પરંતુ 24 કલાકમાં ડિપ્રેશનના લીધે ભારે પવન અને વરસાદની સંભવિત શક્યતા દર્શાવી છે.

રાજ્યમાં મહા વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું હતું.ત્યારે હાલાર માટે વાવાઝોડને લઇ રાહતના સમાચાર મળ્યા છે.અરબી સમુદ્રમાં ઉત્પન થયેલ વાવાઝોડું નબળું પડ્યુ઼ છે.વાવાઝોડાની દિશા પણ બદલાઇ છે.મંગળવારે દિશા બદલાઇને સૌરાષ્ટ્ર તરફ દિશા મંડાઇ હતી.સૌરાષ્ટ્ર તરફ ફંટાયેલ વાવાઝોડું દ્વારકાથી માત્ર 650 કિમી જેટલું જ દુર રહ્યું હતું.ત્યારે તંત્ર પણ એલર્ટ થઇ ગયું હતું.દ્વારકા ગોમતીઘાટ ખાલી કરાવીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દિધો હતો.પરંતુ બુધવારે બપોર પછી વાવાઝોડાએ દિશા બદલી હતી.દિવમાં દક્ષિણ દિશામાં થઇ વાવાઝોડુ દરિયામા઼ં સમાઇ જશે.સતત મંદ પડતું જતુ વાવાઝોડાના પગલે દ્વારકા અને જામનગર પંથકમાં વરસાદ પડવાની સંભવિત શક્યતા વ્યક્ત કરાઇ છે.બુધવારે અસર વર્તાતા જમનગર પંથકમાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/33B8t24
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here