
શહેરની સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો ગોધરા ટ્રેન હત્યાકાંડનો આરોપી ઇરફાન પાડા 15 દિવસની પેરોલ રજા પર મુકત થયા બાદ નિયત સમયમાં જેલમાં હાજર થવાના બદલે ફરાર થઇ ગયો હતો. જેલ સત્તાધીશોએ આ મામલે રાવપુરા પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જેલ પ્રશાસને રાવપુરા પોલીસને જણાવ્યું હતુું કે 2002માં ગોધરા રેલવે પોલીસમાં નોંધાયેલા ગુનાના આરોપી ઇરફાન સિરાઝ પાડા ઘાંચી (રહે, ગોધરા)ને અદાલતે 1લી માર્ચ,2019ના રોજ આજીવન કેદની સજા તથા17300 રુપીયા દંડ અને દંડ ના ભરે તો વધુ 508 દિવસ કેદની સજા ફટકારી હતી. ઇરફાન પાડાને વડોદરા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન તાજેતરમાં ઇરફાન પાડાને 15 દિવસની પેરોલ રજા પર મુકત કરાયો હતો અને તેને 20 ઓકટોબરે જેલમાં હાજર થવાનું હતું પણ તે હાજર થવાના બદલે ફરાર થઇ ગયો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2rdVLZ1
via
IFTTT
No comments:
Post a Comment