
કેશોદ શહેરમાં અયોધ્યાના ચુકાદાને લઇ લોકો ખુશ થયા હતાં. દિવસભર શહેરમાં સામાન્ય પરિસ્થિતિ જોવા મળી હતી. જો કે, ચુકાદાને લઇ લોકોને ઉત્સુકતા હોય, સવારથી જ દુકાનોમાં ટીવી ચાલતા હતાં, દુકાનો પર લોકો એકઠા થઇ ટીવી જોતા નજરે પડ્યા હતાં તેમજ પોલીસ પેટ્રોલીંગ પણ કરવામાં આવ્યું હતું. કેશોદમાં ચુકાદા બાદ સંપૂર્ણ શાંતિભર્યો માહોલ રહ્યો હતો. તમામ સંસ્થાઓ તેમજ ધર્મના આગેવાનોએ ચુકાદાને શિરોમાન્ય ગણ્યો છે. ચુકાદા બાદ પણ કેશોદ શહેરમાં રાબેતા મુજબ દિવસ પસાર થયો હતો. ચુકાદો આવ્યા બાદ લોકો પોતપોતાના વ્યવસાય ધંધા પર લાગી ગયા હતાં. જો કે તેની ચર્ચા દિવસભર ચાલી હતી. સવારથી જ કેશોદ આસપાસનાં ગામડાનાં લોકો રાબેતા મુજબ શહેરમાં આવ્યા હતા. અને પોતાના જરૂરી કામ કરી જતાં રહ્યા હતા. શહેરમાં કોઇ અનિચ્છનિય બનાવ કે ઘટના બની ન હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33yILvk
via
IFTTT
No comments:
Post a Comment