1990 માં સોમનાથ-અયોધ્યા રથયાત્રાનું સોમનાથથી પ્રસ્થાન થયું હતું ત્યારે આજના ચુકાદા સાથે સોમનાથનું વિશેષ મહત્વ જોડાયેલ છે ત્યારે ચુકાદાને લઇ સોમનાથ મંદિરની સુરક્ષા વધારાય છે. 100 થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ સોમનાથમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સોમનાથ, વેરાવળ બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મુખ્ય બજારો સહિતના માર્ગો પર ફુટ પેટ્રોલીંગ અને ચેકિંગ કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સહિતના પોલીસ સ્ટાફે સોમનાથ પરિસરમાં ફુટ પેટ્રોલીંગ કર્યું હતું. સુરક્ષાને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સોમનાથમાં 100 પોલીસ જવાન, 1 એસઆરપી કંપની, 1 પ્લાટુન કંપની તૈનાત કરી દેવામાં આવી છે. તેમજ સોમનાથ મહાદેવના દર્શને આવતા દર્શનાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. શાંત માહોલ દિવસભર રહ્યો હતો. પરંતુ વહિવટી તંત્ર અને પોલીસ એલર્ટ રહી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2pNKPRH
via IFTTT
No comments:
Post a Comment