
શહેરની સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો ગોધરા ટ્રેન હત્યાકાંડનો આરોપી ઇરફાન પાડા ફરાર થઇ ગયા બાદ અન્ય એક આરોપી બિલાલ બદામ ઘાંચી પણ 15 દિવસની પેરોલ રજા પર મુકત થયા બાદ નિયત સમયમાં જેલમાં હાજર થવાના બદલે ફરાર થઇ ગયો હતો. ગોધરા હત્યાકાંડના 2 આરોપી ફરાર થતાં તેમની શોધખોળ માટે સ્ટેટ અને સેન્ટ્રલ આઇબી સહિતની એજન્સીઓમાં એલર્ટ જારી કરાયું છે. બિલાલ અબ્દુલ્લા ઇસ્માઇલ બદામ ઘાંચી (રહે, ગોધરા)ને અદાલતે 1લી માર્ચ,2019ના રોજ આજીવન કેદની સજા અને 17300 રુપીયાનો દંડ ફટકાર્યો હતો અને દંડ ના ભરે તો વધુ 508 દિવસની કેદની સજા ફટકારી હતી. દરમિયાન, બિલાલ બદામને તાજેતરમાં 15 દિવસ માટે પેરોલ રજા પર મુકત કરાયો હતો અને તેને 24 ઓકટોબરે હાજર થવાનું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2K1YgnE
via
IFTTT
No comments:
Post a Comment