
હવે સીધા 1999માં પહોંચીએ. લૉની ડિગ્રી લીધા બાદ તેણે બુલઢાણામાં વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી. નવેમ્બર, 2000માં સૌપ્રથમ તેણે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને એસટી બસ સેવા માટે એક અપીલ કરી અને આ સેવા શરૂ કરવા રાજ્ય પરિવહનને પત્ર લખ્યો. તે મામલે વિભાગે એવો રિપોર્ટ આપ્યો કે રસ્તા બસ ચલાવવા લાયક નથી. ત્યાર પછી દીપકે માર્ગ-મકાન વિભાગનો સંપર્ક કર્યો અને રોડ બનાવવા માગ કરી, જે સાંભળવામાં આવી પણ કામચલાઉ રોડ બનાવી દેવાયો. બસ શરૂ થઇ. ગામની પૂરી સિકલ બદલાઇ ગઇ. બાળકો સ્કૂલે જવા લાગ્યા, ખેતપેદાશો ઝડપથી વેચાવા લાગી, જેથી ગામની જીવનશૈલી જ બદલાઇ ગઇ. સૌનું ધ્યાન ડામરના સારા રસ્તા બનાવવા તરફ ગયું. જોકે, ગ્રામજનોને એ સમજાવવું મુશ્કેલ થઇ રહ્યું હતું કે એક સામાન્ય નાગરિક પણ આવા મોટા સાર્વજનિક કામ કરાવી શકે છે, કેમ કે તેઓ એમ માનતા કે માત્ર નેતા જ આ બધું કરાવી શકે છે. બધે થાય છે તેવું અહીં પણ થયું કે આ લોનાર-મમતાલ-બીબી માર્ગ માટે સત્તામાં બેઠેલા નેતા શ્રેય લેવામાં પાછળ ન રહ્યા જ્યારે દીપકને બધા ભૂલી ગયા. આ કિસ્સાથી મને મહાભારતના ભીષ્મ અને રામાયણના જટાયુ યાદ આવે છે. ભીષ્મ બહુ શક્તિશાળી હતા પણ દ્રૌપદીની મદદ ન કરી શક્યા. જટાયુ વૃદ્ધ અને નિર્બળ હોવા છતાં તેમણે સીતાની મદદ કરવા પ્રયાસ કર્યો. ભીષ્મ સંસ્કારી અને સુશિક્ષિત હતા પણ તેમણે અસંવેદનશીલતા દાખવી જ્યારે જંગલમાં રહેતા ગીધસ્વરૂપ જટાયુએ તે કામ કરવામાં ભારે સંવેદનશીલતા બતાવી. દ્રૌપદીએ ભીષ્મની મદદ માગી હતી જ્યારે સીતાએ તો જટાયુની મદદ માગી પણ નહોતી. આનું પરિણામ એ આવ્યું કે ભીષ્મ જીવિત રહ્યા પણ અંદરથી રોજ મરતા રહ્યા જ્યારે જટાયુને મૃત્યુ પ્રાપ્ત થયું પણ તેઓ અંતરાત્મા માટે અનંતકાળથી જીવતા રહ્યા.
તે
ફંડા એ છે કે - સિક્કાની જેમ દરેક કામના બે પાસા હોય છે. સિક્કાનું બન્ને તરફથી મૂલ્યાંકન કરાય છે. તમે કોઇ કામ ‘ભીષ્મ’ની રીતે કરો છો કે ‘જટાયુ’ની એ તમારા પર નિર્ભર છે.
મેનેજમેન્ટ ફંડા એન.રઘુરામનના અવાજમાં મોબાઈલ પર સાંભળવા માટે ટાઈપ કરો FUNDA અને SMS મોકલો 9190000071 પર
એન. રઘુરામન
raghu@dbcorp.in
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33A0aUz
via IFTTT
No comments:
Post a Comment