
બરવાળા તાલુકાના ભીમનાથ ગામે આવેલ શ્રી સિધ્ધપીઠ મહાદેવ મંદિરે તા.4-11-19ના રોજ ભવ્ય પોથીયાત્રા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ શરૂ થશે. આ કથા સવારે 9.00 થી બપોરના 12.00 કલાક સુધી શરૂ રહેશે. તા.10-11-19ના રોજ આ કથાની પૂર્ણાહુતી કરવામા આવશે. કથામા આવતા ધાર્મિક પ્રસંગોની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવશે. કથાના વક્તા તરીકે મહામંડલેશ્વર આશુતોષગીરી બાપુ વ્યાસપીઠ ઉપર બીરાજી શ્રોતાઓને કથાનુ રસપાન કરાવશે. આ કથા દરમિયાન 8, 1008 મહામંડલેશ્વર ઉપસ્થિત રહેશે. આ કથાની પૂર્વ તૈયારીના ભાગરૂપે અત્યાર સુધીમાં 17 જેટલી ધર્મસભાઓ અને 15 ધર્મયાત્રા રેલી સ્વરૂપે યજાઇ હતી. જેમાં 100 જેટલા બાઇક, 21 જેટલી કાર સાથે નીકળી હતી. તસવીર કેતનસિંહ પરમાર
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JEh9Nd
via
IFTTT
No comments:
Post a Comment