મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામના 13માં દિવસે ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણનો અંત - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, November 6, 2019

મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામના 13માં દિવસે ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણનો અંત


મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામના 13માં દિવસે ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણનો અંત આવ્યાના સંકેત મળ્યાં હતાં. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે પરદા પાછળ વાતચીત ચાલુ છે અને રાજ્યમાં આગામી 9 નવેમ્બર સુધીમાં સરકાર રચાઈ જશે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે. નામ જાહેર ન કરવાની શરતે સૂત્રોએ જણાવ્યું હતું કે બંને પક્ષના મોટા નેતાઓ વચ્ચે મંત્રણા ચાલુ છે અને ગુરુવાર સુધી બધું યોગ્ય થઈ જશે. અગાઉ ભાજપના નેતા અને નાણામંત્રી સુધીર મનગુંટીવારે કહ્યું કે ભાજપ નેતા ગુરુવારે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરશે. ભાજપ-શિવસેના ગઠબંધનવાળી સરકાર જ રચાશે. અમે ગઠબંધનની સરકાર બનાવવાનો પ્રયાસ કરીશું કેમ કે ભાજપ શિવસેના અને સહયોગીઓને જ બહુમતી મળી છે. તેમણે પવારની વિપક્ષમાં બેસવાનો જનાદેશ મળ્યાની ટિપ્પણીનું પણ સ્વાગત કર્યુ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2WOD9dX
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here