સુરત સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી 10 દિ'માં મોરારિબાપુની લેખીતમાં માફી માંગે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, November 4, 2019

સુરત સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી 10 દિ'માં મોરારિબાપુની લેખીતમાં માફી માંગે

સુરત સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામિએ સુરત મુકામે મહાભારતની કથાના આયોજન દરમ્યાન મોરારિબાપુનું અપમાન થાય તેવી ટીપ્પણી કરતા પોરબંદરના નિવૃત પ્રોફસરે વકીલ મારફત સ્વામિને નોટીસ પાઠવી છે અને લેખીતમાં માફી માંગવા જણાવ્યુ છે.

જો માફીપત્ર નહિ આપે તો કોર્ટમાં ફોજદારી ફરીયાદ પણ કરવામાં આવશે તેવી ચીમકી આપી છે. પોરબંદરની એમડી સાયન્સ કોલેજના નિવૃત પ્રોફેસર અને કિર્તિમંદિર પાછળ રહેતા દયારામભાઇ જેરામદાસ ગોંડલીયાએ તેમના વકીલ દિપકભાઇ લાખાણી મારફત સુરત રૂસ્તમબાગ સ્વામિનારાયણ મંદિરના વિશ્વવલ્લભદાસજી સ્વામિને નોટીસ પાઠવી છે. અને નોટીસમાં જણાવ્યુ છે કે સુરત મુકામે મહાભારતની કથાના આયોજન દરમ્યાન આ સ્વામિ દ્રારા જાહેર પ્રવચનમાં મોરારિબાપુનું અપમાન થાય તેમજ તેમની પ્રતિષ્ઠાને જફાહાની અને નુકશાન થાય તેમજ તેમના ચાહક વર્ગને નુકશાન પહોંચાડવાના ઇરાદાથી અથવા સમાજમાં તેમને નીચા પાડવાના આશ્રયથી ટીપ્પણી કરી હોવાનું જણાઇ રહયુ છે. અને તેની કેસેટ પણ બહાર પાડવામાં આવી છે તેથી બદનક્ષી થાય તેવું જણાઇ રહયુ છે. આ કૃત્ય ભારતીય દંડ સંહિતાની કલમ 500 અને અન્ય જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર ગુન્હો કરેલ હોવાનું જણાવ્યુ હતુ. દિવસ 10 માં લેખીત રીતે મોરારિબાપુની માફી માંગતો પત્ર મોકલવા નોટીસમાં જણાવ્યુ છે. તેમજ જાહેર પ્રવચન અને કથાઓમાં જાહેર માફી માંગવી અન્યથા ધોરણસરની પોરબંદરની ચીફ જ્યૂ.મેજીસ્ટેક કોર્ટમાં ફોજદારી ફરીયાદ કરવાની ફરજ પડશે તેવુ જણાવ્યુ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2qimLWX
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here