કોઠારામાં અાસો સુદ સાતમ અને અાઠમના રોજ સમગ્ર રામદતી ગોસ્વામી પરિવાર દ્વારા વાઘેશ્વરી માતાજીના ભાવ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી.
અા પ્રસંગે ભોજનદાતા જયાબેન જગદીશગીરી, જેરામગીરી ઉમગીરી અને રોહિતગીરી ચંદનગીરી રહ્યા હતા. પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન નવિનગીરી ઉમરગીરી રહ્યા હતા, કળશ સ્થાપન ચડાવો રોહિતગીરી ચંદનગીરી, ધ્વજારોહણનો ચડાવો મુલગીરી શિવગીરી, મંદિરમાં પ્રથમ પ્રવેશ માટેનો ચડાવો મુલગીરી સેજગીરી પરિવારોઅે લીધો હતો. વિધિ વસંતરાય મહારાજે કરાવી હતી.
મંડપ ડેકોરેશનના દાતા મોયરતડીયા રામદતી પરિવાર તથા ફુલહાર ઇ.ના દાતા રાજેશગીરી વીરગીરી રહ્યા હતા. નિયાણી બહેનો તરફથી મંદિરને કબાટ તેમજ ગઢશીશાના મંજૂલાબેન રાજેન્દ્રગીરી તરફથી ઇલેક્ટ્રિક અારતી અાપવાની જાહેરાત થઇ હતી. અાયોજનમાં જગદીશગીરી, નવિનગીરી, તુલસીગીરી, પ્રકાશગીરી, હરેશગીરી, કમલગીરી, વસંતગીરી, રેવાગીરી સહિતના અગ્રણીઅો સહભાગી બન્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2q6tbYU
via IFTTT
No comments:
Post a Comment