બાળકોને આધ્યાત્મિક રીતે પણ સમર્થ બનાવો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 18, 2019

બાળકોને આધ્યાત્મિક રીતે પણ સમર્થ બનાવો

આવનારાં કેટલાંક વર્ષો બાદ આ વાતનું મહત્ત્વ ખતમ થઇ જશે કે તમે તમારા સંતાન માટે શું-શું ભૌતિક ઉપલબ્ધિઅો-સાધન છોડ્યા. કરિયર, મકાન,બેંક બેલેન્સ, જીવનસાથી આ બધું આપવું તમારો ઉદ્ધેશ હોઇ શકે છે.આને બંધ તો નથી કરવાનું, પણ આ વાત જરૂર ધ્યાનમાં રાખો કે આવનાર સમયમાં આ બધું પોતાનું મહત્ત્વ ગુમાવી દેશે.આપણે બાળકોને ભૌતિક રૂપથી તો સમર્થ બનાવી રહ્યા છીએ, પણ ભૂલી રહ્યાં છીએ કે આત્મિક રૂપથી નબળા થઇ રહ્યા છીએ.માતા-પિતા એ પણ ભૂલી જાય છે કે પોતાની નબળાઇઓ તેમનામાં ટ્રાન્સફર થઇ રહી છે. તમારી ઇચ્છા ન હોવા પર, પણ બાળકો તરંગો દ્વારા તમારી પાસેથી એવું ખોટું લઇ ચૂકયા છે જે આગળ જતાં તેને તકલીફ આપશે. આપણે જે ધન-મિલકત, સફળતા તેમને આપી રહ્યા છીએ અથવા આપણા ઇશારો પર તે મેળવી રહ્યાં છે, એક દિવસ તે તેમના માટે જ્વાળામુખીનો ઢગ બની જશે. પસ્તાવા કરતાં સારું હશે કે આજે જાણો કે તમને શાંતિ કેવી રીતે આપી શકાય?અન્યથા આવનાર સમયમાં આ શાંતિની ભીખ માંગતા જોશો.શાંતિના નામ પર ઘણાં લોકો દુકાનો ચલાવશે, શાંતિ કેવી રીતે મળે, તેના તમાશા થવા લાગશે, પણ શું એનાથી કોઇને શાંતિ મળી જશે?ધ્યાન રાખો, પહેલા શાંતિ તો માતા-પિતાના શરીરથી જ મળશે. ગુરુ, સંત-મહાત્મા, કાઉન્સિલર, મોટિવેટર...આ બધી પછીની આઇટમ છે. તો બાળકોને જે પણ શ્રેષ્ઠ આપી રહ્યા છો , તેમાં શાંતિને જોડી દો.

જીને કી રાહ

પં. વિજયશંકર મહેતા

humarehanuman@gmail.com



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - empower your children spiritually as well 063641


from Divya Bhaskar https://ift.tt/2puVobN
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here