કેશાેદમાં અક્ષયનાથ મહાદેવના સાનિધ્યમાં સ્વામીનારાયણ ગુરૂકુલ સંચાલિત સાેરઠ ક્ષય નિવારણ સમિતિ દ્વારા તા 11 થી લઇ તા 13 ઓક્ટાે એમ ત્રિદિવસીય 37 માે અક્ષયગઢ શરદમેળાે યાેજાશે જેમાં 5 લાખ કરતાં વધૂ લાેકાે ઉમટી પડશે અક્ષયનાથ મહાદેવની સ્થાપના પૂર્વેની વાત કરીએ જયાં ક્ષય નામના રાેગ નિવારણ માટે લાેકાેની સારવારનું કેન્દ્ર બનાવવા આઝાદીના લડવૈયા રતુભાઇ અદાણીએ સાેરઠ ક્ષય નિવારણ સમિતિની રચના કરી તેવી જ રીતે કેશાેદથી 248 કીમી દુર ધાંગધ્રાના રાજસિતાપુંર ગામ નજીક અદભુત શિલ્પકળાથી સુશાેભિત 200 વર્ષ જુનું એક મંદિર અપૂજ્ય પરિસ્થિતીમાં ઉભું હતું તે તમામ માેટી શીલાઓને માેટા વાહનાેથી અક્ષયગઢ ખાતે લાવી વિશાળ મંદિર ઉભું કરાયું અને ક્ષય દુર કરી અક્ષય પાત્ર આપનારા મહાદેવનું નામ અક્ષયનાથ મહાદેવ નામકરણ થયું ત્યારથી આ મેળાે આયાેજીત થાય છે. એક બાજુ આ મેળામાં કુસુંમબેન સાંસ્કૃતિક કેન્દ્રના સ્ટેજ પરથી ગુજરાત ભરની ખ્યાતનામ રાસમંડળીઓ, ખ્યાતનામ લાેક સાહિત્ય કલાકારાે, આેરિસ્સાનું ખ્યાતનામ નૃત્ય, ગુરૂકુલ વિદ્યાર્થીઓ દ્વારા પ્રેરક પ્રસંગ રજૂ કરતાં નાટકાે, યાેગ પીરામીડાે, રાસ ગરબાં જેવા સાંસ્કતિ કાર્યક્રમાે રજૂ થશે.
તા 12 ને શરદપૂનમના દિવસે વહેલી સવારે અક્ષયગઢ ગુરૂકુલમાં બિરાજમાન પ્રેમવતી શ્રી ઘનશ્યામ મહારાજનાે પાટાેત્સવ યાેજાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Bdg36R
via IFTTT
No comments:
Post a Comment