
મહેસાણામાં રહેતા હિમાંશુભાઇ પટેલે તેમનું મીઠા ગામની સીમમાં આવેલું ખેતર રણછોડભાઇ રબારીને વાવણી માટે આપ્યું હતું. છેલ્લા બે દિવસથી આ ખેતરમાંથી પસાર થતી ઓએનજીસીની પાઇપ લાઇનમાંથી ગેસનું ગળતર થતું હોવા અંગે રણછોડભાઇએ બુધવારે બલોલ જીજીએસ-1માં જઇ રજૂઆત કરી હતી. જેથી અત્રેના અધિકારીએ ઓએનજીસીની જીપમાં કન્ટીજર વિરમ વાલ્મિકીને લીકેજ જોવા મોકલ્યા હતા. રાત્રે 7.30 થી 8 દરમિયાન જીપ નેળિયામાં ઉભી રાખી ખેડૂત રણછોડભાઇ, કન્ટીજર વિરમભાઇ અને ડ્રાઇવર દશરથભાઇ તૂરી હજુ 5 ડગલાં ચાલ્યા હશે ત્યાં જ જીપ બ્લાસ્ટ સાથે સળગી ઊઠી હતી અને ખેતરમાં આગ ફેલાઇ ગઇ હતી. આથી ત્રણે જણા નેળિયામાંથી 300 મીટર સુધી ભાગતાં ગંભીર રીતે દાઝી જતાં મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં લવાયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2N3QX0H
via
IFTTT
No comments:
Post a Comment