
પાણીપત: હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે શનિવારે ચંદીગઢમાં રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. જ્યારે ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં નેતા ચૂંટાયા છે. પાર્ટીના રાજ્ય પ્રભારી અનિલ જૈને જણાવ્યું કે, ચંદીગઢમાં થનારી આ બેઠકમાં નિર્મલા સીતારમણ અને મહાસચિવ અરુણ સિંહ પણ હાજર રહ્યા હતા.
આ પહેલાં શુક્રવારે રાત્રે ભજપા અને જેજેપીની પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, બંને પાર્ટીઓએ મળીને રાજ્યમાં સરકાર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભાજપના બનશે જ્યારે ઉપમુખ્યમંત્રી જેજેપીના બનશે. ઘણાં અપક્ષના ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું છે. હરિયાણાની જનતાએ જે જનાદેશ આપ્યો છે તેમની ભાવનાઓને જોઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના વિકાસ માટે સ્થાઈ સરકાર બનાવી જરૂરી: ચૌટાલા
જેજેપીના દુષ્યંત ચૌટાલાએ કહ્યું હતું કે, સરકાર બનાવવા માટે બંને પાર્ટીઓએ સાથે આવવું જરૂરી. રાજ્યના વિકાસ માટે સ્થાઈ સરકાર જરૂરી. ચૌધરી દેવીલાલના સમયથી અમે બંને સાથે ચાલી રહ્યા છીએ. પાર્ટીના ઘણાં નેતાઓએ આ ગઠબંધન પર સહમતી વ્યક્ત કરી છે. રાજ્યના વિકાસ માટે સાથે મળીને ચાલવું જરૂરી.
અમે રાજ્ય હિતમાં ચૂંટણી લડી: ચૌટાલા
- આ પહેલાં જેજેપી નેતા દુષ્યંત ચૌટાલાએ કહ્યું હતું કે, પાર્ટી અધ્યક્ષ હોવાના કારણે મેં અને પાર્ટી અધિકારીઓએ સાથે મળીને નિર્ણય લીધો છે કે, જે અમારી માંગને સમર્થન આપશે અમે તેની સાથે મળીને સરકાર બનાવીશુ. અમે કોઈની વિરુદ્ધ નહીં પરંતુ રાજ્યના હિતમાં ચૂંટણી લડી છે. અમારા નેતાઓએ ભાજપ અને કોંગ્રેસના ઘણાં સીનિયર નેતાઓને હરાવ્યા છે. અમારી પાર્ટી જેજેપીને જે 15 ટકા વોટ મળ્યા છે તે જનતાનો આશીર્વાદ છે.
- ચૌટાલાએ કહ્યું હતું કે, અમારા સહયોગથી જો ભાજપ કે કોંગ્રેસ કોઈની પણ સરકાર બનશે તો તે રાજ્યના હિતમાં જ બનશે. અમે રાજ્યમાં જે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડી છે તે જ અમારા મુખ્ય મુદ્દા છે. રાજ્યમાં સરકાર બનાવનાર પાર્ટીએ અમારુ સન્માન જાળવવું પડશે. અમારા ઘણાં સભ્યોએ એવો પણ મત રજૂ કર્યો છે કે, ભાજપને સમર્થન આપીને મજબૂત સરકાર બનાવવામાં આવે. અમે હરિયાણાને આગળ લઈ જવા અને યુવકોને પ્રોત્સાહન આપવા માટે સકારાત્મક છીએ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32OIBQ8
via IFTTT
No comments:
Post a Comment