
વેરાવળ | ગીરગઢડા તાલુકાના કણેરી ગામે અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમા રાત્રી સભા યોજાઈ હતી. આ રાત્રી સભા દરમિયાન કણેરી ગામના સામુહિક પ્રશ્ર્નો રજુ કરવામાં આવ્યા હતા. રાત્રી સભામાં સ્મશાનની બાજુમા આવેલ નદી કાંઠે સ્નાન ઘાટ બનાવવા, ગ્રામ પંચાયત ભવન બનાવવું, અતિવૃષ્ટિને કારણે ગામમાં પાણી ફરી વળે છે તેથી પુર સંરક્ષણ દિવાલ બનાવવી, કણેરી ગામે પુલ બની ગયેલ છે પરંતુ બંન્ને સાઈડમાં સી.સી.રોડ બનાવવા અને તાલુકાકક્ષાએ જવા માટે બસની સુવિધા પુરી પાડવી સહિતના જુદા-જુદા પ્રશ્ર્નો રજુ કરાયા હતા. જેના ઉકેલ માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/347Xf5i
via
IFTTT
No comments:
Post a Comment