
બરવાળા તાલુકાના સાળંગપુર ગામે આવેલા વિશ્વપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાના 171માં પાટોત્સવ પ્રસંગે તા.15 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી શ્રી હનુમંત ચરિત્ર કથા અને તા. 19મી ઓક્ટોમ્બર 2019ને શનિવારના રોજ સવારે 9.00 કલાકે માંગલ્ય ટેમ્પલ પ્લાનિંગ એન્ડ કન્સ્ટ્રકશન (મનહરભાઈ પી. સોમપુરા) ઈડર હસ્તક જોધપુરી બાલેશ્વર પથ્થરમાંથી બનાવેલા 108 ફૂટ ભવ્ય પ્રવેશદ્વારનું ઉદઘાટન પુજ્ય આચાર્ય મહારાજ અને મંત્રી સૌરભભાઈ પટેલ તેમજ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમા ઉજવાશે. આ ઉત્સવ પ્રસંગે દાદાનો અભિષેક પુજન, ભવ્ય અન્નકૂટ, અને મારૂતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉત્સવમાં લાભ લેવા સૌ હરિભક્તોને મંદિરના કોઠારી સ્વામીએ આમંત્રણ પાઠવ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VOYNhG
via
IFTTT
No comments:
Post a Comment