દોઢ વર્ષ પહેલા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને પદાધિકારીઓએ એવી જાહેરાત કરી હતી કે, વોર્ડ ઓફિસમાં જ જન્મ અને મરણના દાખલાઓ મળવાની શરૂઆત થશે, પરંતુ આજ સુધી તમામ વોર્ડમાં આ સેવા ચાલુ થવાની વાત તો દૂર રહી પણ સિટી સિવિક સેન્ટરમાં પણ મરણના દાખલાની પ્રિન્ટ કાઢી આપવામાં આવતી નથી. જેના કારણે ફરજિયાત શહેરીજનોને મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી સુધી ધક્કા થઇ રહ્યા છે. મનપા પાસે તમામ પ્રકારની સુવિધા હોવા છતાં માત્ર માણસ અને સ્ટેશનરી પૂરી પાડવામાં આવે તો તુરંત આ સેવાનો લાભ મળતો થઇ શકે તેમ છે.
રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન કમિશનર બંછાનિધિ પાની અને પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન મનીષ રાડિયાએ 26 એપ્રિલ 2018ના એવી જાહેરાત કરી હતી કે, વોર્ડ ઓફિસમાં જ લોકોને સુવિધા મળતી થઇ જાય તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરાશે અને 15 દિવસમાં તમામ વોર્ડ ઓફિસમાં જન્મ અને મરણના દાખલા મળતા થઇ જશે. આ વાતની જાહેરાતને દોઢ વર્ષ થયું છે, પરંતુ હજુ સુધી તમામ વોર્ડમાં જન્મ મરણના દાખલા મળવાની શરૂઆત થઇ નથી. વોર્ડ ઓફિસની વાત તો દૂર રહી અમીન માર્ગ, કૃષ્ણનગર ગુરુપ્રસાદ ચોક પરના સિટી સિવિક સેન્ટરમાં પણ મરણ નોંધના દાખલાની પ્રિન્ટ કાઢી આપવાની સુવિધા શરૂ થઇ નથી. જેના પગલે લોકોને ફરજિયાત સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધક્કા થઇ રહ્યા છે.
મોટા ઉપાડે કરાયેલી જાહેરાતનું બાળમરણ: મૃત્યુના દાખલા કઢાવવા અરજદારોએ હજુ પણ સેન્ટ્રલ ઓફિસે આવવું પડે છે
પૂર્વ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે, વોર્ડ ઓફિસમાં જ મૃત્યુના દાખલા મળી જશે
વોર્ડ ઓફિસમાં લગ્ન નોંધણીની જાહેરાતનું સુરસુરિયું થયું
મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર બંછાનિધિ પાનીએ તમામ વોર્ડ ઓફિસમાં લગ્ન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી, પરંતુ આજ સુધી એક પણ વોર્ડમાં આ સેવાની શરૂઆત થઇ નથી અને ભવિષ્યમાં થવાની પણ સંભાવના ઓછી છે. કારણ કે, લગ્ન નોંધણી પ્રક્રિયા ખૂબ જટિલ છે અને ડોક્યુમેન્ટની ખરાઇ કરવા માટે અનુભવી સ્ટાફ રાખવો પડે જે વોર્ડ ઓફિસ ખાતે રાખવો શક્ય નથી.
5 વોર્ડમાં પાઈલટ પ્રોજેકટ શરૂ થયો, આગળ ન વધ્યો
મહાનગરપાલિકાએ વોર્ડ નં.1, 2, 4, 9 અને 14માં વોર્ડ ઓફિસ ખાતે જન્મ-મરણના દાખલાની પ્રિન્ટ કાઢવાનો પાયલટ પ્રોજેકટ શરૂ કર્યો હતો. પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યાના 15 દિવસમાં તમામ વોર્ડ ઓફિસમાં આ કામગીરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી શરૂ થઈ નથી.
મહિને 10 હજારથી વધુ લોકોને સેન્ટ્રલ ઝોન કચેરી જવું પડે છે
રાજકોટ મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં પ્રતિ દિવસ 600 લોકો જન્મ અને મરણના દાખલા લેવા માટે આવી રહ્યા છે. મરણ નોંધના દાખલા લેવા માટે મનપાએ અન્ય કોઇ વ્યવસ્થા કરી ન હોવાથી ફરજિયાત લોકોએ સેન્ટ્રલ ઝોન કચેરી સુધી લાંબુ થવું પડે છે. મહિને 10 હજારથી વધુ મરણ નોંધના દાખલાની પ્રિન્ટ મનપા કાઢી રહ્યું છે તેથી મહિને 10 હજારથી વધુ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OsoliN
via IFTTT
No comments:
Post a Comment