
શોભાયાત્રામાં 5 રથ જોડાયછે
સવાર, બપોર અને સાંજની વિશેષ પૂજા થાય છે. કાર્યક્રમનું સમાપન દશેરાના દિવસે થાય છે. તે દિવસે મંદિર આગળનો મુખ્ય રસ્તો બંધ કરી દેવાય છે. ભવ્ય શોભાયાત્રા વચ્ચે માતા પાર્વતી નગરચર્યાએ નીકળે છે. શોભાયાત્રામાં 5 રથ જોડાય છે, જેમાં મા પાર્વતી ઉપરાંત ગણેશ, કાર્તિકેય, કૃષ્ણ અને મુરુગન બિરાજમાન હોય છે. રથ મંદિરે પરત પહોંચતાં અંદાજે 7 કલાક લાગે છે. હજારોની સંખ્યામાં હિન્દુ, બૌદ્ધ શ્રદ્ધાળુઓ રથનાં દર્શન માટે રસ્તાની બંને તરફ ઊભા રહી જાય છે.
140 વર્ષ જૂના મંદિરમાં માતા પાર્વતી દક્ષિણ ભારતીય સ્વરૂપમાં બિરાજમાન
1879માં બનેલા આ મંદિરમાં માતા પાર્વતી દક્ષિણ ભારતીય સ્વરૂપમાં બિરાજે છે. નવરાત્રિમાં મંદિર પરિસરમાં મા દુર્ગાની ભવ્ય મૂર્તિ સ્થાપિત કરાય છે. પંડાલને ફૂલોથી સજાવાય છે. અહીં તલવારબાજી સહિતનાં કરતબોનાં આયોજન પણ થાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/320Bl36
via IFTTT
No comments:
Post a Comment