
મોદીજી અમને બચાવો, આ કૌભાંડ તમારા પર બટ્ટો છે
પોલીસે 4,355 કરોડ રૂપિયાના કૌભાંડના આરોપીઓની પૂછપરછ માટે તેમની કસ્ટડી સોંપવાની કોર્ટ સમક્ષ માગ કરી, જે કોર્ટે સ્વીકારી. આ દરમિયાન બેંકના ખાતાધારકોએ કોર્ટની બહાર દેખાવો કર્યા. તેઓ કૌભાંડીઓને જેલમાં મોકલવાની માગ કરી રહ્યા હતા. દેખાવકારોના હાથમાં આરોપીઓને જેલમાં મોકલો, તેમને જામીન ન આપો, વાધવાનોની ધરપકડ કરો પણ અમારા પૈસા પાછા અપાવો, મોદીજી અમને બચાવો, આ કૌભાંડ તમારા પર બટ્ટો છે સહિતના લખાણવાળાં પ્લેકાર્ડ હતાં. એક દેખાવકારે કહ્યું કે આના માટે રિઝર્વ બેન્ક જવાબદાર છે.
ખર્ચા કાઢવા ઘરેણાં વેચવાની નોબત આવી
પીએમસી બેન્ક કૌભાંડે બેન્કના ખાતેદારોની જિંદગી બદલી નાખી છે. નાણાકીય ગેરરીતિઓના કારણે રિઝર્વ બેન્કે પીએમસીના ખાતેદારો માટે પૈસા ઉપાડવાની એક લિમિટ નક્કી કરી દીધી છે. તેની અસર ટીવી એક્ટ્રેસ નૂપુર અલંકાર પર પણ પડી છે. તેણે કહ્યું કે બેન્કમાં જમા પોતાના જ પૈસા ન ઉપાડી શકતી હોવાથી તેણે ખર્ચા કાઢવા ઘરેણાં વેચવા પડ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2AVXOCr
via IFTTT
No comments:
Post a Comment