પાલીતાણા થી તળાજા તરફ આવતી સવારે 6 કલાકે ઉપડતી બસ અવાર નવાર અનિયમિત ઉપાડાય છે અને કયારેક વચ્ચેથી પાછી વળે છે. તેજ રીતે તળાજા થી સાંજ ની 5-30 ની પાલીતાણા બસ અનિયમિત અને ઘણી વખત કયારે ઉપડશે તેનો સંતોષ કારક જવાબ નથી મળતો. ઉપરાંત તળાજા થી શિહોર તરફ જતી આવતી બસ નાં કેટલાક રૂટ અવાર નવાર કેન્સલ કરવામાં આવે છે. જેમાં વાયા અગીયાળી વાળો રૂટ ઘણો સમય બંધ રખાયો હતો. બરવાળા ડેપોની વાયા શિહોર-મહુવાની બસ પણ અવાર નવાસ સમયસર નહી મળતા આ બસમાં મુસાફરી કરતા પાસ ધારકો, વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MmHH7v
via IFTTT
No comments:
Post a Comment