
દીપાવલી આવે એટલે ભગવાન દ્વારકાધીશ જગત મંદિરમાં વિવિધ ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે દ્વારકાધીશ ભગવાનને પૂજારી પરિવાર દ્વારા સુવર્ણ વાઘામાં સજ્જ કરી સોના દાગીનાના ખાસ મુગટ પહેરાવવામાં આવે છે.જગત મંદિરને રોશનીથી ઝળહળતું કરવામાં આવે છે,ત્યારે દિવાળીના રાત્રીના 8 ના ટકોરે હાટડી ભરવામાં આવે છે. ભગવાન પોતે વેપારી હોય તેવા ભાવ સાથે હાટડીમાં ભગવાનને વિવિધ મીઠાઇ,પકવાનો ધરવામાં આવેછે.અને ભગવાન પાસે સોના ચાંદીના ત્રાજવા તોલા પણ રાખી આ હાટડી ભરવામાં આવે છે.આ હાટડી દર્શન માટે સ્થાનિક વેપારીઓ અને અન્ય શ્રદ્ધાળુઓ ખાસ દર્શન માટે આવે છે.અને ભગવાન આ ત્રાજવા તોલામાંથી સુખ અને સમૃદ્ધિની વહેંચણી માનવીના કર્મોને આધારે કરતા હોવાની માન્યતા છે.ત્યારે પ્રવાસીઓ નો મોટો પ્રવાહ પણ દ્વારકા જગત મંદિર તરફ થવા પામ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31QYSCS
via
IFTTT
No comments:
Post a Comment