
જૂનાગઢઃ સુવર્ણ શિખર ધર્મ ધ્વજા મહોત્સવ અંતર્ગત દ્વારકાથી એક વિશાળ ધર્મ યાત્રા શરૂ થઇ હતી. જે 310 કિલોમીટર અંતર કાપી કૃષ્ણ ભગવાને જયાં દેહનો ત્યાગ કર્યો છે તે સ્થળ ભાલકાપહોંચી હતી. આ યાત્રા 3811 બાઈક અને 1198 ફોરવ્હીલર સાથેની વિશ્વની સૌથી મોટી ધાર્મિક ઉદ્દેશ માટેની રેલી હોવાનો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસમાં આ યાત્રાની નોંધણીથઇ છે.
1 લાખ લોકો ઊમટશે
દેહોત્સર્ગ તીર્થક્ષેત્રે રવિવારે એક લાખથી વધુ ભાવિકો ઊમટી પડશે અને સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થશે. જે કાર્યક્રમ સાંજે પૂર્ણ થશે.
આજે ભાલકામાં કાર્યક્રમ
- સવારે 8 વાગ્યાથી નારાયણ યાગ યજ્ઞ શરૂ થશે.
- સવારે 10 વાગ્યાથી સત્યનારાયણની 51 કથા.
- બપોરે 1:45થી નવા મંદિર પર ધ્વજારોહણ અને સુવર્ણ શિખરનું કાર્ય સંપન્ન કરાશે.
- સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી મહા પ્રસાદ.
- રાત્રે કસૂંબલ ડાયરો અને સંતવાણીનો કાર્યક્રમ.
વર્લ્ડ રેકોર્ડ માટે 310 કિમીના રૂટ પર 5 સ્થળે વાહન ગણ્યાં
દ્વારકાથી ભાલકા તીર્થ સુધીની શ્રીમદ્દ ભાગવદ્ગીતાના સંદેશ સાથેની રથયાત્રાએ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. આ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસનાં 6 સભ્યોની ટીમ ગઇકાલ તા.11 ઓક્ટોબરે સવારે 7વાગ્યા દ્વારકાથી રથયાત્રા શરૂ થઇ ત્યારથી તા.12 ઓક્ટોબરે મોડી સાંજે ભાલકામાં રથયાત્રા પૂર્ણ થઇ ત્યાં સુધી સતત સાથે હતા. આખા 310 કિમી લાંબા રૂટ પર કુલ 5 સ્પોટ એવા નક્કી કરાયાજ્યાં રથયાત્રાનું પ્રત્યેક વાહન ધીમું જ ચાલે. એ સ્થળે 6 સભ્યોની ટુકડીએ 1-1 કરીને તમામ વાહનોની ગણતરી કરી હતી. સાથે ડ્રોન થી લીધેલા વિડીયો અને ફોટાને પણ વેરીફાય કરવા માટે ધ્યાનેલેવાયા હતા. એમ વર્લ્ડ રેકોર્ડઝનાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવનાં પ્રેસીડેન્ટ શૈલેષ બારડે જણાવ્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MAtJhd
via IFTTT
No comments:
Post a Comment