હરિયાણામાં બહુમતી મેળવવામાં નિષ્ફળ ભાજપ હવે જનનાયક જનતા પાર્ટી સાથે મળીને સરકાર રચશે. મનોહરલાલ ખટ્ટર મુખ્યમંત્રી અને જે.જે.પી.ના દુષ્યંત ચૌટાલા ડેપ્યુટી સીએમ હશે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે શુક્રવારે રાત્રે જે.જે.પી. સાથે જોડાણની જાહેરાત કરી હતી. આ પહેલા દિવસ દરમિયાન 7 અપક્ષ અને હરિયાણા લોકહિત પાર્ટીના ગોપાલ કાંડા સહિત 8 અપક્ષ ધારાસભ્યોએ ભાજપને ટેકાની જાહેરાત કરી હતી. ભાજપના કુલ 40 ધારાસભ્યો છે. જે.જે.પી.ના 10 ધારાસભ્યો છે. આ સાથે હવે કુલ સંખ્યાબળ 58નું થવા જાય છે. જો કે હજુ સ્પષ્ટ થયું નથી કે ભાજપ અપક્ષોને સાથે રાખશે કે કેમ. ...અનુસંધાન પાના નં. 9
...અનુસંધાન પાના નં. 15
બીજીબાજુ મુખ્યમંત્રી ખટ્ટરે આ મુદ્દે શનિવારે ચંદીગઢમાં ચર્ચા કરવાની વાત કરી છે. શનિવારે વિધાનસભા પક્ષના નેતા ચૂંટાયા પછી ખટ્ટર રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરશે. તેઓ શનિવારે જ શપથ ગ્રહણ કરે તેવી સંભાવના છે. એવું મનાય છે કે જે.જે.પી.ને બે કેબિનેટ અને એક રાજ્યકક્ષાના મંત્રીનું પદ મળી શકે છે. વિધાનસભા પક્ષની બેઠકમાં નિરીક્ષક તરીકે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને ભાજપના મહામંત્રી અરુણસિંહ હાજર રહેશે.
હરિયાણામાં ચૌટાલા પરિવાર અને ભાજપ ઘણીવાર મોરચા સરકાર રચી ચૂક્યા છે. પહેલા ભાજપ જૂનિયર પાર્ટનર હતી. 10 વર્ષ પછી ચૌટાલા પરિવાર જ ફરી ભાજપ સાથે જોડાયું છે. પરંતુ આ વખતે ભાજપ સિનીયર પાર્ટનર છે.
દુષ્યંત તિહાર જેલમાં પિતા અજયને મળ્યાં
જે.જે.પી.ના નેતા દુષ્યંત ચૌટાલાએ તિહાર જેલમાં કેદ પિતા અજયસિંહ ચૌટાલાને મળી મોં મીઠું કરાવ્યું હતું. બંને વચ્ચે 45 મિનિટ મિટીંગ થઈ હતી. જો કે દુષ્યંત આ જ જેલમાં કેદ તેમના દાદા ઓમપ્રકાશ ચૌટાલાને મળ્યાં નહોતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JmbE5G
via IFTTT
No comments:
Post a Comment