
જામનગરમાં ડેન્ગ્યુનો કહેર જીવલેણ બનતાં દર્દીઓના મૃત્યુનો શરૂ થયેલો સિલસિલો ચોથા દિવસે પણ યથાવત રહ્યો છે.શુક્રવાર સુધીમાં 11 વ્યકિતના ડેન્ગ્યુના કારણે મૃત્યુ નિપજયાં છે. આ સ્થિતિમાં એમ.પી.શાહ ઉધોગનગરમાં રહેતાં 18 વર્ષના મકસુદ મદરૂદીનભાઇ નામના યુવાનનું અને સ્વસ્તિક સોસાયટીમાં રહેતાં વિજયભાઇ ઝવેરીલાલ ત્રિવેદી(ઉ.વ.56) નું ડેન્ગ્યુના કારણે મૃત્યુ નિપજતાં મૃતકઆંક 13 પર પહોંચ્યો છે. દરરોજ પોઝિટીવ કેસની સંખ્યામાં અનેકગણો વધારો સામે આવી રહ્યો છે અને નવા 44 કેસ પોઝિટીવ સામે આવતાં આરોગ્ય તંત્ર પણ ઘાંઘુ બન્યું છે. આ ઉપરાંત ખાનગી અને સરકારી દવાખાનામાં 200થી વધુ દર્દીઓ સારવારમાં હોવાનું ખુલ્યું છે. જામનગરમાં ડેન્ગ્યુના રોગચાળાને કાબૂમાં લેવા જી.જી.હોસ્પિટલને રૂ.50 લાખની ગ્રાન્ટની ફાળવણી રાજયસરકાર દ્વારા કરવામાં આવી છે. જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને તમામ ખર્ચ કરવાની સતા પણ આપી છે. રાજયમંત્રી હકુભા જાડેજાએ જી.જી.હોસ્પિટલમાં વોર્ડની મુલાકાત લઇ સ્થિતિની સમીક્ષા કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31bfHbg
via
IFTTT
No comments:
Post a Comment