દેશમાં પ્રથમ વખત રાષ્ટ્રીય અાયુર્વેદ સંસ્થાન ગુજરાતના ઢોકળાં -થેપલાં, રાજસ્થાનના દાલબાટી પર રિસર્ચ કરશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 6, 2019

દેશમાં પ્રથમ વખત રાષ્ટ્રીય અાયુર્વેદ સંસ્થાન ગુજરાતના ઢોકળાં -થેપલાં, રાજસ્થાનના દાલબાટી પર રિસર્ચ કરશે

ગુજરાતમાં કહેવત છે. ‘ અન્ન અેવો અોડકાર. માણસ જેવું ખાય છે તેવી શરીર પર અસર વર્તાય છે. ફિટ ઇન્ડિયા અંતર્ગત રાષ્ટ્રીય અાયુર્વેદ સંસ્થાન, જયપુર દરેક રાજ્યની સૌથી પ્રચલિત વાનગી અંગે રિસર્ચ કરી રિપોર્ટ તૈયાર કરશે. રાજસ્થાનના દાલ-બાટી ,ચૂરમા, બિહારના લિટ્ટી -ચોખા અને ગુજરાતનાં થેપલાં અને ઢોકળાં બનાવવાની પદ્ધતિ અને તેમાં વપરાતી વસ્તુઅો અને તેનાથી માનવ શરીર પર થતી અસર અંગે અધ્યયન કરશે. ચાર ચરણમાં અા રિપોર્ટ તૈયાર થશે. રિપોર્ટ બાદ દરેક રાજ્યની પોલિસી કેન્દ્ર સરકાર તૈયાર કરશે.

સરકાર હવે હેલ્થ અને વેલનેસ ઉપર ફોકસ કરી રહી છે. દરેક રાજ્ય પોતાની પારંપારિક વાનગીઅો ખાય છે અને ત્યાં ફરવા અાવનાર પર્યટકો પણ અા વાનગી અારોગે છે . ત્યારે અા રાજ્યમાં મળતી વસ્તુ , અાબોહવા અને પાણી સહિત અા ખોરાક તેમના શરીર પર કેવી અસર કરે છે તે જાણી શકાશે. સ્થાનિક લોકોને જે વસ્તુ શરીરને માફક અાવતી હોય તે બહારથી અન્ય રાજ્યના લોકોના શરીરને વિપરીત અસર પણ કરી શકે છે.

કેન્દ્ર સરકાર અા રિપોર્ટ અાધારે પોલિસી બનાવશે

તહેવાર પર બનનાર વ્યંજનોનાે રિપોર્ટ બનશે

પ્રોફેસર મીતા કોટેચાઅે જણાવ્યું હતું કે દિવાળી, ઉત્તરાયણ, જન્માષ્ટમી, દશેરા જેવા તહેવાર દરમિયાન બનનારી વાનગીઅોની રેસિપી, બનાવવાના સમય અને આવી નાગગીઓની જાળવણી તથા બનાવ્યા બાદ કેટલો સમય સુધી તે ખાવાલાયક રહે છે તેનાે રિપોર્ટ તૈયાર થશે.

રોગ થાય જ નહીં તે અંગેનો પ્રયાસ

 અા કાર્યવાહીને પ્રાઇમરી પ્રિવેન્શન કહે છે. સરકાર રોગ થતો અટકાવા પ્રયાસ કરે છે . જેથી પારંપરિક ખોરાક ઉપર રિસર્ચ કરશે. ડો. દેવેશ પટેલ , મુખ્ય અારોગ્ય અધિકારી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2AM2BGv
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here