વાહ બચ્ચન, મોતને માત આપીને મેળવ્યો આ બીજો જન્મ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 10, 2019

વાહ બચ્ચન, મોતને માત આપીને મેળવ્યો આ બીજો જન્મ

કુલીમાં જ્યારે અમિતાભજી સાથે હાદસો થયો ત્યારે મને ઘર પર ધમકી ભર્યા પત્રો આવતા હતા, લોકો કહેતા હતા કે તમને અમે જાનથી મારી દેશું. તમે અમારા પ્રિય કલાકાર સાથે આ‌વું કેમ કર્યું. લોકો એટલા ભાવુક થઇ ગયા કે તેઓ રિયલમાં ભૂલીને રીલમાં વિશ્વાસ કરવા લાગ્યા. જો કે આ ઘટના દૂર્ભાગ્યવશ સર્જાઇ હતી. પરંતુ મારે ઘણી વાર લોકોને જવાબ આપવો પડ્યો કે હું એક કલાકાર છું. જાણતા અજાણતા તમને ઠેસ પહોંચાડી છે. તો ક્ષમા પ્રાર્થી છું. ઘણા લોકો મારી આ વાત સમજી ગયા. જે ના સમજ્યા તેમને કહ્યું કે લો ભાઇ, જે કરવું હોય તે કરી લો. 1982માં થયેલા આ હાદસા પછી મને પણ કંઇ સારૂ લાગતું ન હતું. દુખ ઘણું હતું, આત્મગ્લાનિ પણ હતા. જ્યારે આ વાત અમિતજીને ખબર પડી કે હું અપસેટ છું અને મને ધમકીઓ મળી રહી છે.તો તેમણે મને બોલાવ્યો. હું મળવા ગયો ત્યારે તે બોલ્યા તમે ટેન્શન ન લો. તમે મારા નાના ભાઇ છો. તમે જાણી જોઇને આવું કર્યુ ન હતું. આ એક ઘટના હતી જે બની ગઇ. આ બધુ કહ્યા સમજાવ્યા પછી તે મને મીડિયાની સામે ગળામાં હાથ નાખીને લઇ ગયા. કેમેરાની સામે ઉભા રહીને કહ્યુ કે ભાઇ હું પુનીતની સાથે છું. આ તેમની ઉદારતા છે. તેઓ ખુબ સજ્જન વ્યક્તિ છે. આજે તો અમારો સંબંધ ખુબ સારો છે.

પીડા હોવા છતાં

શોટ વચ્ચે ન છોડ્યો

‘જે દિવસે અમિતજી સાથે આ ગંભીર ઘટના ઘટી ત્યારે અમારી 2 વાગ્યાની શિફ્ટ હતી. અમિતજી અને પુનિતજી સાથે સીનનો ટેક લીધો હતો અને બધા ખુશ હતા કે સારૂ શુટ થયું છે. સેટ પર જેયલા લોકો હાજર હતા તે બધા તાળીઓ વગાડી રહ્યા હતા પરંતુ અમિતજી ગાયબ થઇ ગયા. મારા મેકઅપ મેને આવીને જણાવ્યું કે તેમને ઇજા પહોંચી છે અને ગાર્ડનમાં છે. ત્યાં સુધી નિર્દેશક મનમોહન દેસાઇ અને પ્રયાગરાજ રાજજી અને અમે બધા ત્યાં ગયા. અમિતજીએ કહ્યું કે કાંઇ નહિ, થોડી ઇજા પહોંચી છે. ઠીક થઇ જશે. તેઓએ શૂટિંગના સમયે શોટને વચ્ચે છોડ્યો નહિ અને કહ્યું પણ નહિ કે મને દર્દ થઇ રહ્યું છે. દર્દ હોવા છતા સીન પુર્ણ કર્યો. આગળ ચાલીને બધાને ખબર પડી કે મામલો કેટલો ગંભીર હતો. ’

(કન્ટેટ कंटेट:- ઉમેશકુમાર ઉપાધ્યાય, સોનાલી જોશી પિતલે, અમિત કર્ણ, સોનુપ સહદેવન, કિરણ જૈનजैन)

પુનીત ઇસ્સર

( જેમના હાથથી અમિતાભને ઇજા થઇ હતી, તે જણાવી રહ્યા છે પોતાની ત્યારની સ્થિતિ )

ઋષિ કપૂર

(ઘટનાના પ્રત્યક્ષદર્શી અને કુલીમાં કો-એક્ટર રહ્યા, એક મુલાકાતમાં જણાવ્યું)

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી બધાનું અભિવાદન કરી રહેલા અમિતાભ

‘ઘટના પછી મને ધમકીભર્યા પત્રો આવતા હતા’

તેમની એન્ગ્રી યંગ મેનવાળી ઇમેજ ઘટનાની કસૂરવાર રહી

આ ઘટનાની માટે તેમની એગ્રીયંગ મેનની ઇમેજ કારણભુત છે. જો કે કુલીથી પહેલા તેમની જંજીર અને દીવાર જેવી ફિલ્મો આવી ચૂકી હતી. જે બધામાં એક્શમ બચ્ચન સાહેબ પોતે કરતા હતા. કુલીનો તે સીન કોઇ મોટો એક્શન સીન તો ન હતો. જ્યારે દર્દ અનુભવાયું તો સૌથી પહેલા તેમને પોતાના ફેમિલી ડોક્ટર શાહ સાહેબનું કંસલ્ટ કર્યું. બેંગ્લોરની હોસ્પિટલમાં પહેલું ઓપરેશન થયું પછી મુંબઇની બ્રીચ કેન્ડીમાં સર્જરી થઇ. હોસ્પિટલમાં જયાજી અને તેમના ભાઇને જવાની પરવાનગી આપી. ડોક્ટરોની મહેનત રંગ લાવી. સાથે જ તેમના ચાહકોની દુવાઓ રંગ લાવી. આ તેમનો બીજો જન્મ છે. આ ઘટના પછી તો તેઓએ પોતાને ફીજીકલી ફીટ કરી લીધા કે કલાકો કામ કરવા છતાં તેઓ થાકતા નથી.

દીપક સાવંત

(અમિતાભના મેકઅપમેન

જે 47 વર્ષોથી તેમની સાથે છે)



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - wow bachchan this is the second birth of death by death 063114
Div News - wow bachchan this is the second birth of death by death 063114
Div News - wow bachchan this is the second birth of death by death 063114
Div News - wow bachchan this is the second birth of death by death 063114


from Divya Bhaskar https://ift.tt/2OzPYqa
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here