હરિયાણામાં રવિવારે દિવાળીના દિવસે ભાજપ-જજપા ગઠબંધનની સરકાર રચાશે. બપોરે 2.15 - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 26, 2019

હરિયાણામાં રવિવારે દિવાળીના દિવસે ભાજપ-જજપા ગઠબંધનની સરકાર રચાશે. બપોરે 2.15

હરિયાણામાં રવિવારે દિવાળીના દિવસે ભાજપ-જજપા ગઠબંધનની સરકાર રચાશે. બપોરે 2.15 વાગે મનોહરલાલ ખટ્ટર સતત બીજી વખત મુખ્યમંત્રીપદે શપથે લેશે. શનિવારે ભાજપ ધારાસભ્યદળે ખટ્ટરને પોતાના નેતા પસંદ કર્યા હતા. પછી ખટ્ટરે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળી સરકાર રચવાનો દાવો કર્યો હતો. તેમણે 57 ધારાસભ્યોના સમર્થનની યાદી સોંપી હતી. તેમાં ભાજપના 40 અને જજપાના 10 તેમજ 7 અપક્ષ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. પહેલાં એવી અટકળો હતી કે દુષ્યંતનાં માતા નૈના ચૌટાલાને ...અનુસંધાન પાના નં. 12

નાયબ મુખ્યમંત્રી બનાવાશે. પરંતુ ખટ્ટરે સ્પષ્ટતા કરી દીધી છે કે દુષ્યંત જ નાયબ મુખ્યમંત્રી બનશે. દરમિયાનમાં શિક્ષક ભરતી કૌભાંડમાં 10 વર્ષની સજા પામેલા દુષ્યંત ચૌટાલાના પિતા અજય ચૌટાલાને 15 દિવસના ફર્લો જામીન મળ્યા છે. તેમના પિતા અને દુષ્યંતના દાદા ઓમપ્રકાશ ચૌટાલા પણ આ જ ગુના હેઠળ તિહાર જેલમાં કેદ છે. જો કે તેમને જામીન મળ્યાં નથી. ઉલ્લેખનીય છે કે દુષ્યંત ચૌટાલાના પક્ષે ભાજપને ટેકો આપવાની જાહેરાત કરી ત્યાર પછી અજય ચૌટાલાને જામીન મળ્યાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/36c9ZcL
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here