સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે 171મો પાટોત્સવ ઉજવાશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 18, 2019

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે 171મો પાટોત્સવ ઉજવાશે

બરવાળા તાલુકાના સાળંગપુર ગામે આવેલા વિશ્વ પ્રસિધ્ધ અને પવિત્ર યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે 171મા વાર્ષિક પાટોત્સવ તા.19/10/19ને શનિવારના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ ઉત્સવ નિમિતે મારૂતિ યજ્ઞ પૂજન, દાદાને અભિષેક, દાદાનો ભવ્ય અન્નકૂટ અને મુખ્ય મંદિરના નવા પ્રવેશદ્વારનો ઉદ્દઘાટન જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉત્સવમાં આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી, મંત્રી સૌરભભાઈ પટેલ અને ધામેધામથી સંતો મહંતો મોટી સંખ્યામા ઉપસ્થિત રહેશે.

આ ઉત્સવ દરમિયાન દાદાની મંગળા આરતી સવારે 5.30 કલાકે, શણગાર આરતી સવારે 7.00 કલાકે, દાદાને અભિષેક પૂજા સવારે 8.00 કલાકે, પ્રવેશદ્વારા ઉદ્દઘાટન સવારે 9.00 કલાકે આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રકાશજી અને મંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે કરાશે. દાદાને ભવ્ય અન્નકૂટ આરતી 11.00 કલાકે અને યજ્ઞ પૂર્ણાહૂતિ બપોરે 11.30 કલાકે કરાશે. આ ઉત્સવમા ઉપસ્થિત રહેવા સૌ હરિભક્તોને મંદિરના મહંત પુરાણી સ્વામી વિષ્ણુપ્રકાશદાસજી, સા.સ્વામી હરિપ્રકાશદાસજી, કો.સ્વામી વિવેકસાગરદાસજી અને તમામ સંતમંડળ પાર્ષદ તરફથી આમંત્રણ પાઠવાયું છે. હનુમંત ચરિત્ર કથાનુ આયોજન તા.15-10-19 થી 19-10-19 સુધી કરાયું છે. જેના વક્તાપદે પ.પૂ. હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા હરિભક્તોને લાભ આપી રહ્યા છે.

પાટોત્સવ નિમિત્તે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. તસવીર કેતનસિંહ પરમાર



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Barvala News - 171st potsav will be celebrated today at salangpur kashthan bhajan hanumanji temple 060527


from Divya Bhaskar https://ift.tt/33HRQBv
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here