
દિવાળીથી લાભ પાંચમ સુધી ઝીંઝુવાડા રણમાં આવેલી વાછડાદાદાની ઐતિહાસીક જગ્યાએ હજારો શ્રધ્ધાળુઓ આસ્થાભેર દર્શનાર્થે આવે છે. રણમાં વાછડાદાદાની જગ્યામાં એ દિવસે 350થી 400 જેટલા વાહનોમાં 1500થી વધુ શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા. પરંતુ રણમાં ભાઇબીજના દિવસે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યા બાદ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ગોરંભાયા બાદ જોરદાર પવન અને વાવાઝોડા સાથે ખાબકેલા અંદાજે દોઢ ઇંચથી વધારે વરસાદમાં સેંકડો ગાડીઓ રણમાં કાદવમાં ફસાતા સેંકડો શ્રધ્ધાળુઓના માથે મોત ભમતું દેખાવા લાગ્યું હતુ. ત્યારે ઝીંઝુવાડા ગામના 100થી વધુ સ્વયંસેવકો દ્વારા આખી રાત રેસ્ક્યું ઓપરેશન કરી કાદવમાં ફસાયેલી ગાડીઓને રસ્સા વડે ખેંચી બહાર ગાડી ટ્રેક્ટરમાં ટોર્ચન કરી તમામ શ્રધ્ધાળુઓને બચાવી ઝીંઝુવાડા રાજબાઇ માતાના મંદિરે આશરો આપી રહેવા-જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની જગ્યામાં સેંકડો શ્રધ્ધાળુઓ ફસાયાની ઘટના અંગે દિવ્યભાસ્કર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.રાજેશને રજૂઆત કરાતા એમણે પાટડી મામલતદાર, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહી રેસ્કૂયુ કર્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2q7IaSs
via
IFTTT
No comments:
Post a Comment