
નવરાત્રી માટે જાણીતા શહેર વડોદરામાં 25 વર્ષ બાદ આટલો વરસાદ વરસતા ગરબાના મેદાનો સરોવર સમાન બન્યાં હતાં. જેના પગલે આયોજકો દ્વારા બીજા નોરતે ગરબા રદ કરવાનો વારો આવ્યો હતો. આયોજકો દ્વારા સોશીયલ મીડીયામાં ગરબા રદ થયાની પોસ્ટ મુકવામાં આવતા ખેલૈયાઓના ઉત્સાહ પર પણ પાણી ફરી વળ્યું હતું. બીજી તરફ પાણી ભરાયેલા તેમજ કાદવ-કિચડથી ખરડાયેલા આ મેદાનો ક્યાં સુધી રમવા યોગ્ય બનશે તે અંગે પણ આયોજકો દ્વિધામાં છે. આ ઉપરાંત આગામી 2 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે,જેથી આયોજકો દ્વારા શું આગામી 2 દિવસ સુધી વરસાદના કારણે ગરબા રદ કરવા પડશે કે કેમ તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oF2TMC
via
IFTTT
No comments:
Post a Comment