ઉત્તર પ્રદેશ અને બિહારમાં ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે 122 લોકોના મોત થઈ ચૂક્યા છે. અન્ય રાજ્યોમાં 25 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડાયા છે. બિહારના પાટનગર પટણામાં રસ્તા પર 6થી 7 ફૂટ પાણી ભરાયું છે. મંત્રી-ધારાસભ્યો સહિતના 80 ટકા ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. કોચીંગ હબ ગણાતા રાજેન્દ્રનગર વિસ્તારમાં સોમવારે હોસ્ટેલમાં ફસાયેલી વિદ્યાર્થીનીઓને રેસ્ક્યુ કરાઈ હતી. આ વિસ્તારમાં ડેપ્યુટી સીએમ સુશીલ મોદી પણ રહે છે. તેઓ પણ શુક્રવાર રાતથી તેમના ઘરમાં ફસાયેલા હતા. બિહારની વિખ્યાત ગાયિકા શારદા સિંહા પણ ફસાઈ હતી તેને પણ સોમવારે સુરક્ષિત રીતે બહાર કઢાઈ હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2mteIoD
via IFTTT
No comments:
Post a Comment