રાજયના કૃષિ વિભાગના આંકડા કહે છે કે, ગુજરાતમાં કપાસના પાકનું 26,65 લાખ હેકટરમાં, મગફળીના પાકનું 15,50 લાખ હેકટરમાં, કઠોળના પાકનું 4 લાખ હેકટરમાં બાજરીના પાકનું 1,72 લાખ હેકટર, ડાંગરનું 8,34 લાખ હેકટર, મકાઇના પાકનું 3 લાખ હેકટરમાં વાવેતર થયું છે. આ વાવેતર થયા પછી કપાસમાં એક ફાલ માટે ઝીંડવા આવી ગયા હતા,પણ ગયા સપ્તાહમાં વરસાદને કારણે ઝીંડવા ખરી જતા, કોહવાઇ જતા કપાસને નુકસાન થયું છે. ઉપરાંત મગફળીનો પાક પણ તૈયાર થઈ ગયો છે. તેને ઉપાડવાનું સરી કરી દેવાયું છે ત્યારે વરસાદના કારણે તૈયાર મગફળી કોહવાઈ ગઈ છે. કઠોળ અને બાજરી તથા જુવારના પાકને 10થી25 ટકા નુકસાન થયું હોવાનું ખેડૂતોનું કહેવું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2osEaex
via IFTTT
No comments:
Post a Comment