અર્જુન ખાટરિયાના જણાવ્યા અનુસાર સહી કરનાર 24 સભ્ય પૈકી 12 સભ્ય વિરુદ્ધ હાઈકોર્ટમાં પક્ષાંતર ધારા અંગે કેસ ચાલી રહ્યો છે. તેમનું સભ્ય પદ જ જોખમમાં છે અને કેટલું ટકે તે નક્કી નથી તો અવિશ્વાસની દરખાસ્ત પર કઈ રીતે સહી કરી શકે તેના આધાર પર હાઈકોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. સોમવારે તેની સુનાવણી હતી પણ હાફ ડે હોવાથી અને દશેરાની રજા હોવાથી અરજી પર સુનાવણી માટે બુધવારની તારીખ મળી છે. અવિશ્વાસની દરખાસ્તને એક સપ્તાહ વિત્યો છે અને નિયમ મુજબ દરખાસ્ત આવ્યાના 15 દિવસમાં પ્રમુખે ખાસ સામાન્ય સભા બોલાવી વિશ્વાસનો મત મેળવવાનો રહે છે.
સત્ય | રાજકોટ જિલ્લા પંચાયતમાં સત્તા માટે બે પક્ષો વચ્ચે જે સાઠમારી થાય છે તે કોઇ પક્ષ માટે કે વિકાસ માટે થતી નથી, નાણાં સૌથી મોટું પરિબળ છે એટલે જ ઘણા સભ્યોએ અવારનવાર જૂથ બદલ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ARUubz
via IFTTT
No comments:
Post a Comment