મધ્ય પ્રદેશ: આરટીઆઇ અરજીના એક સવાલના 360 જવાબ આવ્યા! - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 15, 2019

મધ્ય પ્રદેશ: આરટીઆઇ અરજીના એક સવાલના 360 જવાબ આવ્યા!

મધ્યપ્રદેશમાં એક એક્ટિવિસ્ટે આરટીઆઇ હેઠળ ટપાલ વિભાગને એક સવાલ પૂછ્યો પણ તેના જવાબ આવ્યા 360. જવાબ આવવાનો સિલસિલો હજુ પણ જારી જ છે. નીમચ જિલ્લાના સામાજિક કાર્યકર જિનેન્દ્ર સુરાનાએ ટપાલ વિભાગના ડાકઘર, પરિસર, કાર્યાલય અને આવાસ પરિસરની માહિતી માગી હતી.

તેમણે જણાવ્યું કે ઓનલાઇન અરજીમાં તેમણે એમ પૂછ્યું હતું કે, વિભાગની સ્થાવર મિલકતોની બજારકિંમત અને ચોપડે કિંમત કેટલી છે? આ સવાલનો જવાબ આપવાની જવાબદારી વિભાગે ચીફ પોસ્ટ માસ્ટર અને તમામ પોસ્ટ માસ્ટર જનરલોને સોંપી દીધી. આ જવાબદારી વિભાગના મોટા અધિકારીઓ પાસેથી તમામ ડાક અધિક્ષકો પર આવી ગઇ. તેમને આદેશ અપાયો કે તેઓ પોતાના કાર્યાલયની માહિતી સીધી અરજદારને પૂરી પાડે. માહિતી મોકલવાનો સિલસિલો શરૂ થયો તો અત્યાર સુધીમાં 360 જવાબ મળી ચૂક્યા છે. સુરાનાના કહેવા મુજબ તેમણે 7 ઓગસ્ટે ઓનલાઇન અરજી કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Mh1pld
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here