
નવી દિલ્હી: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (NCP) પ્રમુખ શરદ પવારે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. બાદમાં પવારે કહ્યુ હતુ કે, અમે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી તેમને મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ અંગે માહિતી આપી છે. તેમની સાથે સરકાર રચવા અંગે કોઇ વિશેષ વાતચીત નથી થઇ. જો કે તેમની વચ્ચે ફરીવાર મુલાકાત કરવા પર સહમતિ બની છે. રિપોર્ટ અનુસાર સૂત્રોએ જણાવ્યુ હતુ કે સોનિયા ગાંધીએ શિવસેનાને સમર્થન આપવાની અટકળોને નકારી કાઢી હતી.
અમે જોઇશું કે આગળ શું થાય છે-શરદ પવાર
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા પર અવઢવની સ્થિતિ પર પવારે કહ્યું કે, રાજ્યના લોકોએ અમને વિરોધ પક્ષમાં બેસવાનો જનાદેશ આપ્યો છે. જો કે અમારી પાસે સરકાર બનાવવા માટે જરૂરી સંખ્યાબળ નથી. ભાજપ અને તેના સહયોગીઓ પાસે જરૂરી સંખ્યાબળ હોય તો સરકાર બનાવવાની જવાબદારી તેમની પાસે છે. અમે જોઇશું કે આગળ શું થાય છે.
સરકાર બનાવવા માટે શિવસેના તરફથી કોઇ ઓફર નથી મળી: પવાર
સજંય રાઉત તરફથી NCP નેતા અજીત પવાર સાથે મુલાકાત અંગેના પ્રશ્ર્ન પર પવારે કહ્યું કે, શિવસેનાએ ભાજપ વિરૂદ્ધ મહારાષ્ટ્રમાં એક મોટુ પગલું ભર્યું છે. સરકારને લઇને અમારી શિવસેના કે અન્ય કોઇ સાથે કોઇ વાતચીત નથી થઇ, તેમજ અમને કોઇ ઓફર પણ મળી નથી.
મને વિશ્વાસ છે કે નવી સરકાર ટૂંક સમયમાં બનશે:ફડણવીસ
આ પહેલા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સોમવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં આ મુદ્દ પર ચર્ચા કરી હતી. મુલાકાત પછી સરકાર બનાવવાને લઈને બીજા લોકો શું કહી રહ્યા છે તેના વિશે કંઈ નહીં કહું. પરંતુ મને વિશ્વાસ છે કે નવી સરકાર ટૂંક સમયમાં બનશે.
સંજય રાઉતરાજ્યપાલને મળ્યા
બીજી તરફ મુંબઈમાં શિવસેના નેતા સંજય રાઉત અને રામદાસ કદમે સોમવારે સાંજે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી. મુલાકાત બાદ રાઉતે કહ્યું કે અમે રાજયપાલને એ જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં સરકારે ન બનવા માટે શિવસેના જવાબદાર નથી. તેમણે કહ્યું કે જેની પાસે બહુમતી હોય, તે સરકાર બનાવે. આ પહેલા રાઉતે કહ્યું હતું કે તેમની પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે અને મુખ્યમંત્રી શિવસેનાના હશે. રાઉતે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત કરવા માટે સરકારી એજન્સીઓ અને અપરાધીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JRkLf1
via IFTTT
No comments:
Post a Comment