વિસાવદર પાસ કન્વીનરે ખેડુતોને પાકમાં થયેલી નુકશાનીને લઇ વળતરની જોગવાઇઓનું પાલન થાય એ માટે ગ્રામસભા બોલાવી તેમાં ઠરાવ પસાર કરવા આહવાન કર્યુ છે. વિસાવદર પાસ કન્વીનર વિરૂ પટેલે જણાવ્યું છે કે, હાલ ખેડુતોને વીમા કંપનીઓ અને સરકાર નરમ વલણ દાખવી રહ્યા હોવાથી ખેડુતોએ જાગૃત બનવું જરૂરી છે. જે ગામમાં નુકશાન થયું હોય એ ગામમાં ખેડુતોએ અધિકારીઓ અને ગ્રામજનોની હાજરીમાં ગ્રામસભા બોલાવી કમોસમી વરસાદને લીધે આખા ગામનાં ખેડુતોને થયેલ નુકશાન બાબતે એક ઠરાવ પસાર કરી શકાય જેમાં નુકશાનીનું વર્ણન કરવા સાથે સાત દિવસમાં સર્વે દસ દિવસમાં વળતરણ આપવાની જોગવાઇનું પાલન થાય એવો ઠરાવ હોવો જોઇએ. આ માટે દરેક ગ્રામ પંચાયતને આગળ આવવા તેમણે આહવાન કર્યુ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2K9h8kW
via IFTTT
No comments:
Post a Comment