
નવી દિલ્હી: આઈએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ કરાયેલા ગૃહ મંત્રી પી ચિદમ્બરમની પૂછપરછ કરવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓ તિહારજેલ પહોંચી ગયા છે. ઈડીના ત્રણ અધિકારીઓને વિશેષ કોર્ટે મંગળવારે પૂછપરછ માટે મંજૂરી આપી હતી.
ઈડીના અધિકારીઓ સિવાય કાર્તિ ચિદમ્બરમ અને નલિની ચિદમ્બરમ પણ તિહારજેલ પહોંચી ગયા છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે આઈએનએકસ કેસમાં ઈડીને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમની પૂછપરછ કરવાની મંજૂરી આપી છે.
જો પૂછપરછ પછી ઈડીને લાગશે કે ધરપકડની જરૂર છે તો ઈડી કોર્ટની સામે આધાર રજૂ કરીને ચિદમ્બરમની ધરપકડ કરી શકે છે. આ પહેલાં ચિદમ્બરમની જામીન અરજી પર સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MMwYSS
via IFTTT
No comments:
Post a Comment