
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળ્યા છતા ભાજપ-શિવસેના ગઠબંધને અત્યાર સુધી સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો નથી. શિવસેના સતત કડક વલણથી ભાજપ પર દબાણ કરવાના પ્રયાસમાં વાગી ગઈ છે. મંગળવારે પાર્ટી પ્રવક્તા અને રાજ્યસભા સંસાદ સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેના હવાલાથી કહ્યું કે, તેમની પાસે પણ વિકલ્પ છે, પરંતુ તેઓ તેને સ્વીકાર કરવાનું પાપ કરવા માગતા નથી. બીજી બાજું રાજ્યમાં સરકારની રચના અંગે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે બુધવારે બેઠક કરે તેવી શક્યતા છે.
આ પહેલા સોમવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના નેતા દિવાકર રાવતે રાજભવન જઈને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે અલગ અલગ મુલાકાત કરી હતી. બન્ને નેતાઓએ આ મુલાકાતને દિવાળીના અવસર પર સૌજન્ય ભેટ ગણાવી હતી.
મહારાષ્ટ્રમાં કોઈ દુષ્યંત નથીઃરાઉત
સરકાર બનાવવામાં મોડી થવા અંગેના સવાલનો જવાબ આપતા રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કોઈ દુષ્યંત નથી, જેના પિતા જેલમાં છે. અહીં અમે છીએ, જે ધર્મ અને સત્યનું રાજકારણ કરે છે. શરદજીએ ભાજપ વિરુદ્ધ માહોલ બનાવ્યો અને કોંગ્રેસ ક્યારેય ભાજપ સાથે જશે નહીં. સોમવારે રાઉતે કહ્યું કે, અમારી પ્રાથમિકતા છે કે શિવસેના જ મુખ્યમંત્રી બન્યા હતા. આ પદ માટે નેતાનું નામ ઉદ્ધવ ઠાકરે નક્કી કરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BQacEP
via IFTTT
No comments:
Post a Comment