NCP નેતા અજિત પવારે અચાનક રાજીનામું આપ્યું - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, September 27, 2019

NCP નેતા અજિત પવારે અચાનક રાજીનામું આપ્યું

રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં છેલ્લા થોડા દિવસથી સાંસદ, વિધાનસભ્યો, નેતાઓનંુ આઉટગોઈંગ વધી ગયું છે અને મહારાષ્ટ્ર સહકારી બેન્ક ગોટાળામાં શરદ પવાર અને અજિત પવારનાં નામ સંડોવાયાં છે તેની પરથી બવાલ ચાલી રહી છે ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અજિત પવારે વિધાનસભ્યપદ પરથી રાજીનામું આપતાં રાજકીય વર્તુળમાં તર્કવિતર્કો વહેતા થયા છે.

તેમનું રાજીનામુ મંજૂર પણ કરવામાં આવ્યું હતું. રાજીનામું આપ્યા પછી અજિત પવારનો ફોન નોટ- રીચેબલ હોવાથી રાષ્ટ્રવાદીમાં ખળભળાટ મચી ગયો હતો. વિધાનસભાની ચૂંટણીને ફક્ત એક મહિનો બાકી છે ત્યારે અજિત પવારે અચાનક રાજીનામું આપ્યું હોવાથી આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવે છે. જોકે તેમના રાજીનામાનું કારણ હજી પડીકામાં બંધ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર પુણેમાં પૂરગ્રસ્તોની મુલાકાતે ગયા હતા એ સમયે જ અજિત પવારે રાજીનામું આપ્યું હોવાથી આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવે છે. વિધાનસભા અધ્યક્ષ હરિભાઉ બાગડેએ રાજીનામું મંજૂર કર્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2nq1j0p
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here