જામનગર શહેરમાં ડેન્ગ્યુના તાવે હાહાકાર મચાવ્યો છે.દિનપ્રતિદીન શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળો વકરી રહ્યો છે.જામનગરની જી જી હોસ્પિટલ તેમજ ગ્રામ્ય પંથકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ દરરોજ ડેન્ગ્યુના કેસો નોંધાઇ રહ્યા છે.હોસ્પિટલમાં દરરોજ 2500 ઉપરાંતની ઓપીડી નોંધાઇ છે.ડેન્ગ્યું બેકાબું બનવા છતા આરોગ્ય વિભાગ હજુ સુધી કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યું છે.સરકારી વિભાગના ચોપડે નોંધાયેલ મુજબ છેલ્લા પાંચ દિવસમાં 350થી વધુ કેસ તાવના નોંધાયા છે.બે દિવસમાં 90 દર્દીઓના લોહીના નમુના લેવાયા હતાં.જે પૈકીના 54 થી વધુ જેટલા દર્દિઓને ડેન્ગ્યુ પોઝિટીવનો રિપોર્ટ આવ્યો હતો.ત્યારે ગુરુવારે 54 જેટલા ડેન્ગ્યુના શંકાસ્પદ દર્દીઓના લોહીના નમુના મેળવી તપાસ કરતા 24 દર્દીઓને એક જ દિવસમાં ડેન્ગ્યુ પોઝિટીવ આવતા તબીબોમાં ભારે દોડધામ મચી ગઇ છે.હાલ જી જી હોસ્પિટલમાં 150 થી વધુ દર્દીઓ ડેન્ગ્યુના સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
પાંચ દિવસમાં ડેન્ગ્યુના નિયંત્રણ માટે કાર્યવાહી નહી કરાય તો મનપાને તાળાબંધીની ચિમકી
જામનગરમાં રોગચાળાએ માજામૂકી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઇ રહી છે. ત્યારે જામનગરના વિરોધપક્ષના કોર્પોરેટરો દ્વાર આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે,જો પાંચ દિવસમાં કમિશનર અને જામનગર મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા ડેન્ગ્યુને રોકવા માટેના કોઇ અસરકારક પગલા લેવામાં નહી આવે તો જામનગર શહેરની 5000 થી વધુ જનતાને સાથે રાખી જામનગર મહાનગરપાલિકાને તાળાબંધી કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2n8b2by
via IFTTT
No comments:
Post a Comment