ભાજપના નેતા દાસગુપ્તાનું 82 વર્ષની વયે નિધન, 2જી સ્પેક્ટ્રમ કેસને મનમોહનના કર્તવ્યની ભૂલ ગણાવી હતી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 30, 2019

ભાજપના નેતા દાસગુપ્તાનું 82 વર્ષની વયે નિધન, 2જી સ્પેક્ટ્રમ કેસને મનમોહનના કર્તવ્યની ભૂલ ગણાવી હતી

નવી દિલ્હી: ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ના નેતા ગુરુદાસ દાસગુપ્તાનું 82 વર્ષની જૈફ વયે નિધન થયું છે. ભૂતપુર્વ સાંસદ દાસગુપ્તાને કિડની તથા હૃદય સંબંધિત બિમારીનોઈલાજ કરાવી રહ્યા હતા. તેમને આજે કોલકાતા સ્થિત આવાસ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. ગુરુદાસ 3 વખત રાજ્યસભાના અને 2 વખત લોકસભાના સભ્ય રહ્યા હતા. તેમણે યુપીએસરકારની બીજી મુદતમાં સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ના સભ્ય તરીકે 2G સ્પેક્ટ્રમ કેસને ભૂતપુર્વ પ્રધાનમંત્રી મનમોહનની કર્તવ્ય ચૂક તરીકે ગણાવી હતી.ગુરુદાસનો જન્મ 3જી નવેમ્બર, 1936ના રોજ થયો હતો. તેઓ વર્ષ 1985 માં પ્રથમ વખત, વર્ષ 1988 માં બીજી વખત અને વર્ષ 1994માં ત્રીજી વખત કોમ્પ્યુનિસ્ટ પાર્ટીના નેતા તરીકેચૂંટાઈ આવ્યા હતા. રાજનીતિ ઉપરાંત દાસગુપ્તાને ક્રિકેટ તથા રવીન્દ્ર સંગીતમાં ખૂબ રસ ધરાવતા હતા. તેઓ બંગાળ ક્રિકેટ સંઘ (CAB)સાથે પણ જોડાયેલા રહ્યા અને તેમણે કેબનાસભ્ય તરીકે પણ કામ કર્યું હતું.

ભૂતપુર્વ નાણાં પ્રધાન પ્રણવ મુખર્જીની ટીકા કરી હતી

દાસગુપ્તાએ મનમોહન સિંહ સરકારના બીજા કાર્યકાળમાં નાણાકીય વર્ષ 2012-13ના બજેટ અંગે પણ આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ એક સંપૂર્ણ કારકુની (ક્લેરિકલ) બજેટ છે.તેને નાણાં મંત્રાલયના ક્લાર્ક (કારકુન) પણ તૈયાર કરી શકે છે. આ માટે નાણાં પ્રધાન પ્રણવ મુખર્જીની કોઈ જ જરૂર ન હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ગુરુદાસ દાસગુપ્તા


from Divya Bhaskar https://ift.tt/2pwjPpx
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here