બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા માટે 31,398 મંડપ-પંડાલ બનાવાયા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 6, 2019

બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા માટે 31,398 મંડપ-પંડાલ બનાવાયા

ઢાકાથી ભાસ્કર માટે પ્રિયંકા ચૌધરી: બાંગ્લાદેશની કુલ વસતી લગભગ 16 કરોડ છે. તેમાં 1ઉ7 કરોડ વસતી હિન્દુઓની છે. અહીં હિન્દુઓનો સૌથી મોટો તહેવાર દુર્ગા પૂજા છે. આ વખતે દેશમાં દુર્ગા પૂજા 4 ઓક્ટોબરે શરૂ થઈ જે 8 ઓક્ટોબર સુધી ચાલશે.
મહાનવમીઅને વિજયા દશમીની પૂજા થશે

રાજધાની ઢાકા સહિત સમગ્ર દેશભરમાં દુર્ગા મંદિર, મંડપ અને પંડાલ શંખનાદ, ડ્રમ અને સંગીતથી ગૂંજી રહ્યાં છે. અનેક સ્થળે મેળા પણ લાગ્યા છે. તેને ધ્યાનમાં રાખી સમગ્ર દેશમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. પોલીસ, રેપિડ એક્શન બટાલિયન અને અન્ય સુરક્ષા એજન્સીઓ તહેનાત કરાઈ છે. બાંગ્લાદેશ પૂજા પરિષદ અનુસાર શનિવારે અહીં મહાઅષ્ટમીની પૂજા કરાઈ હતી. રવિવારે કુમારી પૂજા, સંધિ પૂજા, સોમવારે મહાનાબામી(મહાનવમી) પૂજા અને મંગળવારે બિયોયો દશમી(વિજયા દશમી) પૂજા થવાની છે. આ વખતે બાંગ્લાદેશમાં 31,398 સ્થાયી અને અસ્થાયી પૂજા મંડપ અને પંડાલ બનાવાયા છે. તે ગત વર્ષથી 483 વધુ છે. 2018માં દેશમાં 30,915 પંડાલ અને મંડપ બનાવાયા હતા. જ્યારે ઢાકામાં 237 પૂજા મંડપ અને પંડાલ બનાવાયા છે. ગત વર્ષે 234 બન્યા હતા. ઢાકામાં 6 મુખ્ય પંડાલોમાં સૌથી વધુ ભીડ ઉમટી રહી છે. તેમાં ઢાકેશ્વરી નેશનલ ટેમ્પલ, રામકૃષ્ણ મિશન-મઠ, કાલાબાગાન, બાનાની, શાખારી બજાર અને ઢાકા યુનિવર્સિટીનો જગન્નાથ હોલ સામેલ છે.
15 વર્ષથી બની રહ્યો છે આ પંડાલ...
ઢાકાનોકાલાબાગાન પંડાલ 15 વર્ષથી દુર્ગા પૂજા માટે બનાવાય છે. ઢાકામાં સૌથી વધુ ભીડ ઢાંકેશ્વરી મંદિરમાં હોય છે. તેને 12મી સદીના રાજા બાલાલ સેને બનાવ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
તસવીર ઢાકાના કાલાબાગાન પંડાલની છે.


from Divya Bhaskar https://ift.tt/2Vg3z7A
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here